બિહારમાં 5 રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી થવાની છે. જેના માટે રાજકીય સમીકરણો ગોઠવાય રહ્યા છે. જો સંખ્યા બળને જોતા NDAના ખાતામાં 3 બેઠકો અને 2 બેઠકો RJDના અને તેના સાથી પક્ષોના ખાતામાં જઇ શકે છે. બિહાર કોંગ્રેસ પ્રભારી શક્તિસિંહ ગોહિલે રાજ્યસભાની એક બેઠક માટે તેજસ્વી યાદવને તેનો વાયદો યાદ અપાવ્યો. જે તેમણે લોકસભા ચૂંટણી દરમિયાન કર્યો હતો.
બિહારથી નહીં લડે શક્તિસિંહ
સારા લોકો માટે પ્રાણ જાય, વચન નહીં: શક્તિસિંહ
RJD અડગ રહેશેઃ શક્તિસિંહ
કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલનો RJDને ખુલ્લો પત્ર લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે તેઓ બિહારથી રાજ્યસભાની ચૂંટણી લડશે નહિં. આ સાથે તેમણે જણાવ્યુ છે કે સારા લોકો માટે કહેવાય કે પ્રાણ જાય, વચન નહીં. લોકસભા સમયના શબ્દો પર RJD અડગ રહેશે.
શક્તિસિંહ ગોહિલે પત્રમાં લખ્યું કે, લોકસભા ચૂંટણી સમયે મહાગઠબંધનના નેતાઓની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ સમયે RJDએ રાજ્યસભાની એક સીટ કોંગ્રેસને આપવા કહ્યું હતું. તેથી તેઓ પોતાનો વાયદો નિભાવશે. આ સાથે તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે, બિહારમાં સ્થાનિક કોંગ્રેસ નેતા જ ઉમેદવાર હશે. હું કે બહારના મતદાર કોંગ્રેસ ઉમેદવાર નહિં હોય"
કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલનો RJDને ખુલ્લો પત્રઃ તેઓ બિહારથી રાજ્યસભાની ચૂંટણી નહિં લડે. તેમણે કહ્યું કે સારા લોકો માટે કહેવાય કે પ્રાણ જાય, વચન નહીં. લોકસભા સમયના શબ્દો પર RJD અડગ રહેશે. RJDએ રાજ્યસભાની એક સીટ કોંગ્રેસને આપવા કહ્યું હતું.સ્થાનિક કોંગ્રેસ નેતા જ ઉમેદવાર હશે." pic.twitter.com/thlO3syA46
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 8, 2020
ભાજપ-જેડીયુમાં અસમંજસ
ભાજપના બે અને જેડીયૂના ત્રણ રાજ્યસભા સભ્યોનો કાર્યકાળ એપ્રિલમાં પૂર્ણ થવા જઇ રહ્યો છે, જેને લઇને 26 માર્ચે ચૂંટણી થઇ રહી છે. ત્યારે, બિહારના સત્તા પક્ષ ભાજપ અને જેડીયૂ પણ અસમંજસમાં છે કે તેઓ રાજ્યસભા માટે કોને મોકલે અને કોને નહીં?