કોંગ્રેસના સિનિયર નેતા કપિલ સિબ્બલે ગાંધી પરિવાર પર આકરાં પ્રહારો કર્યા હતા. તેમણે પાર્ટી નેતૃત્વમાંથી ગાંધી પરિવારને અળગા રહેવાની સલાહ પણ આપી છે.
પાંચ રાજ્યોમાં ભૂંડી હાર બાદ કોંગ્રેસમાં કકળાટ
દિગ્ગજ નેતાઓની નેતૃત્વ પરિવર્તનની માગ
કપિલ સિબ્બલના કોંગ્રેસ પર આકરાં પ્રહારો
કોંગ્રેસના સિનિયર નેતા કપિલ સિબ્બલે ગાંધી પરિવાર પર આકરાં પ્રહારો કર્યા હતા. તેમણે પાર્ટી નેતૃત્વમાંથી ગાંધી પરિવારને અળગા રહેવાની સલાહ પણ આપી છે. તેમણે કહ્યું કે, આ યોગ્ય સમય છે કે, જ્યારે ગાંધી પરિવારે કોંગ્રેસની લીડરશીપમાંથી હટી જવું જોઈએ અને નેતૃત્વની ભૂમિકા માટે કોઈ અન્ય વ્યક્તિને મોકો આપવો જોઈએ. સિબ્બલનું આ નિવેદન પાંચ રાજ્યોની ચૂંટણીમાં થયેલી ભૂંડી હાર અને કોંગ્રેસ કાર્ય સમિતિ તરફથી સોનિયા ગાંધીના નેતૃત્વમાં પોતાનો વિશ્વાસ જાહેર કર્યા બાદ આવ્યું છે.
વિચારવા જેવું છે,- આઠ વર્ષ પછી પણ પતનના કારણો દેખાતા નથી
કપિલ સિબ્બલે વિચાર મંથન સત્ર આયોજીત કરવા માટે પાર્ટીની નિર્ણયની ટિકા કરી હતી. તેમણે કહ્યું કે, નેતૃત્વ કુકૂ લેંડમાં રહ્યું છે, જો તેને આઠ વર્ષ પછી પણ પાર્ટીના પતનના કારણો વિશે ખબર નથી. જી 23 નેતાઓએ 2020માં સોનિયા ગાંધીને પાર્ટીમાં મોટા ફેરફારની માગણી કરી હતી. સિબ્બલ કોંગ્રેસના પ્રથમ વરિષ્ઠ નેતા છે. જેમણે માગ કરી હતી કે, ગાંધી પરિવારના એક નવા નેતા માટે માર્ગ મોકળો કરે. તેમણે કહ્યું કે, ગાંધી પરિવારે સ્વેચ્છાથી અંતર બનાવી રાખવું જોઈએ. કારણ કે, તેમના તરફથી નામિત બોડી ક્યારેય નહીં જણાવે છછે કે, તેમને સત્તાના સુકાન ચાલુ ન રાખવા જોઈએ.
CWC બહારના નેતાઓનો મત પણ જાણવામાં આવે
સિબ્બલે કહ્યું કે, તે ન તો વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની હારથી હૈરાન છે, ન તો સીડબ્લ્યૂસીનો સોનિયા ગાંધીમાં વિશ્વાસ વ્યક્ત કરવાથી. તેમણે કહ્યું કે, સીડબ્લ્યૂસીની બહાર મોટી સંખ્યામાં નેતાઓનો દ્રષ્ટિકોણ કંઈ અલગ છે. તેમણે કહ્યું કે, આની બહાર પણ એક કોંગ્રેસ છે. મહેરબાની કરીને તેમના વિચારો પણ સાંભળો. જો આપ ઈચ્છો તો. અમારા જેવા ઘણા બધા નેતા છે, જે સીડબ્લ્યૂસીમાં નથી. પણ કોંગ્રેસમાં તદ્દન વિરુદ્ધ એક અલગ દ્રષ્ટિકોણ છે. શું આપને તેનાથી કોઈ ફરક નથી પડતો, કારણ કે અમે CWCમાં નથી એટલે.
સિબ્બલ બોલ્યા઼- મને તમામની કોંગ્રેસ જોઈએ
કોંગ્રેસે નેતાએ કહ્યું કે, તેમના અનુસાર CWC ભારતમાં કોંગ્રેસ પાર્ટીનું પ્રતિનિધિત્વ કરે છે. મને નથી લાગતુ કે, આ યોગ્ય છે. દેશભરમાં ઘણા બધાં સારા કોંગ્રેસી છે. કેરલથી, આસામમાંથી, જમ્મુ કાશ્મીરમાંથી, મહારાષ્ટ્રમાંથી, યુપીમાંથી, ગુજરાતમાંથી, જે આ પ્રકારનો મત ધરાવતા નથી. હું બીજાના તરફથી વાત કરી શકું નહીં. આ મારા પર્સનલ વિચારો છે. આજે મારે બધાની કોંગ્રેસની જોઈએ. જ્યારે અમુક લોકો કંઈક જૂદી કોંગ્રેસ માગી છે. હું મારા અંતિમ શ્વાસ સુધી સૌ કોઈની કોંગ્રેસ માટે લડતો રહીશ.