ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીની તબિયતને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. કોરોનાને મહાત આપીને પણ છેલ્લા 2 મહિનાથી પણ વધુ સમયથી લડી રહેલા આ નેતાની તબિયતમાં હવે સુધારો આવ્યો છે.
કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની તબિયતમાં આવ્યો સુધારો
બે મહિનાથી લઈ રહ્યા છે સારવાર
કોરોના નેગેટિવ આવ્યો પણ એ સિવાયની કેટલીક બિમારીઓએ કર્યો હતો એટેક
ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ બંનેના નેતાઓ કોરોનાનો શિકાર બની રહ્યા છે ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી પણ કોરોનાનો શિકાર બન્યા હતા. એવામાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. તેમણે કોરોનાને તો મહાત આપી દીધી હતી પરંતુ એ બાદ પણ તેમની તબિયત રિકવર ન થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં જ રાખવા પડ્યા હતા જે દરમિયાન એક બે વાર તેમની તબિયત લથડી પણ હતી. પરંતુ હવે સારા સમાચાર સામે આવ્યા છે કે તેમની તબિયત એકદમ સુધારા પર છે. છેલ્લા બે મહિનાથી તેઓ હોસ્પિટલમાં છે. ત્યારે ભાજપ કોંગ્રેસના નેતાઓ દ્વારા કોરોનાની મહામારીમાં પણ જે મીટિંગો અને મેળાવડાં ઓ કરવામાં આવે છે તેમાં ક્યાકને ક્યાંક કોરોનાની મહામારીને પણ સંક્રમણ માટે મોકળો માર્ગ મળી જતો હોવાની વાતો વહેતી થઈ છે.
ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ 22 જૂને પોઝિટિવ આવ્યો હતો. રાજયસભાની ચૂંટણી બાદ કોરોના પોઝિટિવ આવતા ખાનગી હોસ્પિટલમાં ભરતસિંહ સોલંકી સારવાર લઈ રહ્યા હતા. કોરોના સાથે ફેફસાની બીમારી અને કિડનીમાં ઇન્ફેક્શનના કારણે લાંબો સમય હોસ્પિટલમાં રહેવું પડી રહ્યુ છે.
ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ 22 જૂને પોઝિટિવ આવ્યો હતો. રાજ્યસભાની ચૂંટણી બાદ ભરતસિંહનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને લઇને તેમને વડોદરાની હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે ખસેડાયા હતા. જોકે કોરોનાની લાંબી સારવાર બાદ સ્થિતિમાં સુધારો ન આવતા તેમને CIMS હોસ્પિટલ ખસેડાયા હતા.
કોણ છે ભરતસિંહ સોલંકી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના 25 માં પ્રમુખ હતાં. આ ઉપરાંત તેઓ ભારત દેશની 14મી લોકસભાના સભ્ય રહી ચુક્યા છે. તેમણે વર્ષ 2004 થી 2014 સુધી ગુજરાત રાજ્યના આણંદ સંસદીય મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમના પિતા માધવસિંહ સોલંકી પણ રાજકારણમાં લાંબી કારકિર્દી ગુજારી ચુક્યા છે.