કોંગ્રેસ હાઈકમાને સીએમ કેપ્ટન અમરિંદર સિંહને રાજીનામું આપવાનો આદેશ આપ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે.
આજે સાંજે 5 વાગે ધારસભ્ય દળની બેઠક
કેપ્ટનના સીએમ બનેલા રહેવા પર સવાલ
ધારાસભ્યોની મિટિંગમાં થઈ શકે છે મોટો નિર્ણય
આજે સાંજે 5 વાગે ધારસભ્ય દળની બેઠક
પંજાબમાં સીએમ અમરિંદર સિંહની ખુરશી સંકટમાં છે. આજે સાંજે 5 વાગે ધારસભ્ય દળની બેઠક છે. તેવામાં આ વાતની અટકણો તેજ થઈ ગઈ છે કે શું કેપ્ટન અમરિંદરની ખુરશી સંકટમાં છે. સમાચાર એ છે કે કોંગ્રેસ હાઈકમાને સીએમ કેપ્ટન અમરિંદર સિંહને રાજીનામું આપવાનો આદેશ આપ્યો છે.
કેપ્ટનના સીએમ બનેલા રહેવા પર સવાલ
સૂત્રોના હવાલાથી જે સમાચાર મળી રહ્યા છે તે કેપ્ટન માટે સારા નથી. જે રીતની અટકળો લગાવાઈ રહી છે તેમાં સવાલ ઉઠી રહ્યા છે કે કેપ્ટન આખરે ક્યાં સુધી સીએમ બની રહેશે? આ સમાચારને સમજીએ તો આજે સીએમ અમરિંદર સિંહે પોતાના સમર્થકોની બેઠક બપોરે 2 વાગે બોલાવી છે.
હરીશ રાવતે કરી આ અપીલ
કોંગ્રેસના પંજાબ પ્રભારી હરીશ રાવતે કહ્યું કે ધારાસભ્ય દળની બેઠક પંજાબ પ્રદેશ કોંગ્રેસ કમિટીની ઓફિસમાં સાંજે 5 વાગે થશે. AICCએ પંજાબ પ્રદેશ કોંગ્રેસ કમિટીની આ બેઠક માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. પંજાબના તમામ ધારાસભ્યો આ બેઠકમાં ભાગ લેશે. AICCને કોંગ્રેસના અનેક ધારાસભ્યોને બેઠક માટે આમંત્રણ મળ્યું છે.
ધારાસભ્યોની મિટિંગમાં થઈ શકે છે મોટો નિર્ણય
સૂત્રોના જણાવ્યાનુસાર સીએમ કેપ્ટન અમરિંદર સિંહને લઈને આજે કોઈ મોટો નિર્ણય હોઈ શકે છે. અજય માકન અને હરીશ ચૌધરી પર્યવેક્ષક તરીકે મીટિંગમાં હાજર રહીશું. ત્યારે કોંગ્રેસ નેતા અજય માકને કહ્યું કે આજે શાંજે 5 વાગે ધારાસભ્ય દળની બેઠક છે અને પંજાબ કોંગ્રેસમાં કોઈ ધમાસાન નથી મચી રહ્યું.