ગુજરાત કોંગ્રેસના માળખામાં ફેરફાર થશે. નવા સંગઠનના માળખા માટે કવાયત શરુ કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસનું નવું સંગઠન માળખું માત્ર 80 સભ્યોનું જ હશે. જુના માળખાના 400 સભ્યોનું મૂલ્યાંકન શરુ કરવામાં આવ્યું છે.
ગુજરાત કોંગ્રેસના માળખામાં થશે ફેરફાર
નવા સંગઠન માળખા માટે કવાયત શરુ
પ્રદેશ કોંગ્રેસનું નવું સંગઠન માળખું માત્ર 80 સભ્યોનું જ હશે
પ્રશંસનીય કામગીરી કરનાર સભ્યોને અલગ તારવવામાં આવશે. તેમજ નિષ્ક્રિય રહેલા સભ્યોને મુક્ત કરવામાં આવશે. મોટા માળખાની નિષ્ફળતા બાદ નવું માળખું નાનું રખાશે. માળખુ નાનુ રાખવા અમિત ચાવડાને આદેશ કરવામાં આવ્યો છે.
કેવું હશે ગુજરાત કોંગ્રેસનું માળખું
નવા માળખામાં 8 ઉપપ્રમુખ, 16 મહામંત્રી, 5 પ્રવક્તા હશે. તેમજ 40 મંત્રી અને 5 પ્રોટોકોલ મંત્રી હશે. ઉત્તરપ્રદેશના માળખાને અનુલક્ષીને ગુજરાત કોંગ્રેસનું નવું માળખું તૈયાર કરવામાં આવશે.
લોકસભા ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસને પડ્યો મોટો ફટકો
લોકસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ માટે હાલ કપરા દિવસો ચાલી રહ્યા છે. મોટી સંખ્યામાં પક્ષના કાર્યકરો અને કેટલાક નેતાઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે તો વળી પક્ષમાં આંતરીક જૂથવાદ પણ જોવા મળી રહ્યો છે ત્યારે હવે હાઇ કમાન્ડે નવા માળખાને લઇ કવાયત હાથ ધરી છે.
બે જૂથમાં વહેચાયેલા છે કોંગ્રેસના ધારાસભ્યો
આપને જણાવી દઇએ કે કોંગ્રેસના ધારાસભ્યો હાલ બે જૂથમાં વહેચાયેલા જોવા મળે છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પણ અનેક ધારાસભ્યોને સંગઠની કામગીરીમાં જોતર્યા હોવાની વાત પણ ચર્ચાઈ રહી છે.
તો બીજ તરફ પરેશ ધાનાણીને વિધાનસભામાં એકલા પાડવાનો કારસો પણ રચાઈ રહ્યો છે.જેથી પરેશ ધાનાણી પોતાની રીતે રેલી અને બેઠકો પણ યોજી રહ્યાં છે. તો પ્રદેશ કોંગ્રેસ સમિતીએ ઝોનલ પ્રભારી જિલ્લા નિરક્ષકો સાથે બેઠક પણ યોજાઈ હતી. જેમાં પરેશ ધાનાણીએ હાજરી આપી હતી નહીં.