આવતી કાલે કોંગ્રેસ દ્વારા ભારત બંધનુ એલાન આપવામાં આવ્યુ છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આવતી કાલે સમગ્ર રાજ્યમાં મોંઘવારીના સમર્થનમાં કાર્યક્રમો યોજવામાં આવશે.
કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા એ જણાવ્યુ હતુ કે આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી. આ બંધ પ્રજાના અવાજને વાચા આપવા માટે રાખવામાં આવ્યુ છે.
તેમજ આવતી કાલે સમગ્ર રાજ્યમાં અહીંસક રીતે કાર્યક્રમો યોજવામાં આવશે. તેમજ આ બંધ બપોરના 3 વાગ્યા સુધી જ રાખવામાં આવશે. જેના કારણે સામાન્ય જનતાને કોઈ પણ પ્રકારની તકલીફોનો સામનો ન કરવો પડે.