ગાંધી પરિવારની SPG સુરક્ષા પરત લેવાના વિરોધમાં કોંગ્રેસ સભ્યોએ મંગળવારે લોકસભામાં હંગામો કર્યો. શિયાળુ સત્રના બીજા દિવસે કાર્યવાહી શરૂ થવાની સાથે કોંગ્રેસના સભ્યોએ નારેબાજી કરતા આસાન સુધી પહોંચી ગયા હતા.
ત્યારબાદ દ્રમુકના સભ્યો પણ કોંગ્રેસના સમર્થનમાં આસન સુધી પહોંચી સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. કોંગ્રેસ અને ડીએમકેના સભ્યોએ 'બદલાની રાજનીતિ બંધ કરો', 'એસપીજીની સાથે રાજનીતિ કરવાનું બંધ કરો' અને 'વી વોન્ટ જસ્ટિસ' ના સૂત્રોચ્ચાર લગાવ્યાં.
કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે જો મનમોહનસિંહ અને ગાંધી પરિવાર સાથે કાંઇ પણ થાય છે તો તેની જવાબદારી સરકારની રહેશે. આ સાથે કહ્યું કે ગાંધી પરિવાર અને મનમોહન સિંહ સાથે SPG કવર હટાવા ઉપર ધ્યાન આકર્ષિત કરી રહ્યું હતું પરંતુ સરકાર તરફથી કોઇ જવાબ આવ્યો નહીં. ત્યારબાદ કોંગ્રેસ સાંસદોએ લોકસભામાંથી વોકઆઉટ કરી દીધો.
ઉલ્લેખનીય છે કે હાલમાં કેન્દ્રની મોદી સરકારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધની SPG સુરક્ષા પરત લઇ લીધી હતી. હવે સરકાર દ્વારા Z+ શ્રેણની સુરક્ષા મળી રહી છે.