ગાંધીનગર: દેશમાં દલિતો વિરુદ્ધ અત્યાચારના વિરોધમાં કોંગ્રેસે દેશ વ્યાપી ઉપવાસનું આહ્વાન કર્યું છે. ત્યારે ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ કાર્યાલયમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ એક દિવસના ઉપવાસ પર ઉતર્યા છે. ત્યારે હવે અમદાવાદમાં પણ કોંગ્રેસના નેતાઓ ધરણા કર્યા છે. જેમાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ હાજર રહ્યા હતા. તો બીજી તરફ વડોદરામાં કોંગ્રેસના નેતાઓએ પણ ધરણા કર્યા છે.
ઉલ્લેખનીય છે કે શાંતિ અને સામાજીક સદભાવના માટે કોંગ્રેસના નેતાઓએ પ્રતિક ધરણા કર્યા છે. આ ધરણામાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ જોડાયા છે. આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા સુરતમાં પણ ધરણા શરૂ કરવામાં આવ્યા છે જોકે આ આંદોલન દરમિયાન કોંગ્રેસના નેતાઓ ગેરહાજર રહ્યા હતા. આ દરમિયાન શહેર પ્રમુખ ઇન્દ્રનીલ રાજ્યગુરૂ કોર્પોરેટર ગેરહાજર રહ્યા હતા.
આપને જણાવી દઇએ કે દિલ્હીના રાજઘાટ ખાતે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આજે એક દિવસીય ઉપવાસ પર ઉતરી રહ્યા છે. અને દલિત અત્યાચાર વિરૂધ્ધ કેન્દ્રની હાલની સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે.