મહારાષ્ટ્રમાં એન્ટ્રી લેવા માટે કેજરીવાલ સરકારે વેક્સિનના બંને ડોઝ ફરજિયાત કર્યા છે. આ સિવાય RTPCR રિપોર્ટ નહીં હોય તો 14 દિવસ ક્વોરન્ટાઈન થવું પડશે.
આ રાજ્યમાં એન્ટ્રીને લઈને આવ્યા નવા નિયમ
કોરોનાને કંટ્રોલમાં લેવાની થઈ શરૂઆત
વેક્સિનના બંને ડોઝ ફરજિયાત કર્યા
RTPCR રિપોર્ટ નહીં હોય તો 14 દિવસ ક્વોરન્ટાઈન થવું પડશે
મહારાષ્ટ્ર સરકારે કોરોના પાબંધીમાં થોડી રાહત આપવાની સાથે 15 ઓગસ્ટથી મોલ, રેસ્ટોરાંને 50 ટકા ક્ષમતા સાથે રાતે 10 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની પરમિશન આપી છે. આ સાથે એક શરત એ પણ છે કે દરેક કર્મચારીઓનું વેક્સિનેશન થવું જોઇએ.
મહારાષ્ટ્રમાં અનલોકની પ્રક્રિયાની નવી રીતે શરૂઆત
અહીં કોરોના વાયરસને અનલોક કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. તેને કાબૂમાં રાખવા અનેક નિયમ બનાવાયા છે. આ સાથે મહારાષ્ટ્રમાં પ્રવેશને લઈને પણ નિયમો કડક બન્યા છે. મહારાષ્ટ્ર સરકારના આદેશ અનુસાર રાજ્યમાં આવનારા યાત્રીને માટે વેક્સિનના બંને ડોઝ લગાવવાનું જરૂરી બન્યું છે. સાથે તેની કોપી પણ રાખવાની રહેશે. તો તમે વેક્સિન નથી લીધી તો આરટીપીસીઆર રિપોર્ટ બતાવવાનો જરૂરી રહેશે. આ નિયમોનું પાલન નહીં કરાય તો મહારાષ્ટ્રમાં 14 દિવસ ક્વોરન્ટાઈન થવું પડશે.
આવતીકાલથી આ નિયમો રહેશે લાગૂ
મહારાષ્ટ્ર સરકારે કોરોનાના નિયમોમાં ઢીલ આપી છે અને 15 ઓગસ્ટથી મોલ, રેસ્ટોરાંને 50 ટકાની ક્ષમતાની સાથે રાતે 10 વાગ્યાથી ખોલવાની પરમિશન આપી છે. આ સાથે શરત એ પણ છે કે દરેક કર્મચારીઓનું વેક્સિનેશન થવું જોઈએ. આ સિવાય દુકાનો રાતે 10 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી મળી છે. સ્પા અને જિમને પણ 50 ટકા કેપેસિટી સાથે રાતે 10 વાગ્યા સુધી ખુલ્લુ રાખી શકાશે. આ સાથે પ્રતિષ્ઠિત કંપનીના કર્મચારીઓને પણ બંને વેક્સિનના ડોઝ લેવાનું ફરજિયાત કરાયું છે. સ્પા, જિમ અને રેસ્ટોરન્ટને ખોલવાની પરમિશન એ શરત પર અપાઈ છે કે ત્યાંના કર્મચારીઓ વેક્સિન લઈ ચૂક્યા હોય.
સિનેમા હોલ બંધ રહેશે
મંત્રીએ કહ્યું કે ઈનડોર રમતોને પરમિશન મળશે પણ સિનેમા હોલ અને ઉપાસના સ્થળ નવા આદેશ સુધી બંધ રહેશે.
લગ્નને લઈને આ છે નિયમ
અનલોકની સાથે લગ્નમાં ફક્ત 200 લોકોની મંજૂરી અપાઈ છે. આ સાથે હોલમાં કાર્યક્રમમાં 100 લોકોને સામેલ કરવાની મંજૂરી અપાઈ છે. કોઈ પણ સ્થળ 50 ટકા કેપેસિટી સાથે કામ કરી શકશે.
આ દિવસથી ખૂલશે શાળાઓ
રાજ્યમાં 17 ઓગસ્ટથી શાળાઓ અને કોલેજ ખોલવાના પક્ષમાં સરકાર તૈયાર થઈ નથી. આ માટેનો નિર્ણય જલ્દી લેવાશે.