કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદ આરોપ છે કે તેમણે હિંન્દુત્વની આતંકવાદ સાથે સરખામણી કરી તેને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે.
સલમાન ખુર્શીદે હિન્દુત્વની સરખામણી આતંકી સંગઠનો સાથે કરી
ખુર્શીદે પુસ્તકમાં હિન્દુત્વને ISIS અને બોકો હરમ જેવો ગણાવ્યો
હાલમાં અયોધ્યાના ઉત્સવમાં એવું લાગે છે કે એક જ પાર્ટીનો ઉત્સવ હોય- ખુર્શીદ
સલમાન ખુર્શીદે હિન્દુત્વની સરખામણી આતંકી સંગઠનો સાથે કરી
કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદની વિરુદ્ધ દિલ્હી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. તેમની પુસ્તકનું બુધવારે વિમોચન કરવામાં આવ્યું અને આજે તેમની વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. તેમના પર આરોપ છે કે તેમણે હિંન્દુત્વની આતંકવાદ સાથે સરખામણી કરી તેને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. ખુર્શીદની પુસ્તક સનરાઈઝ ઓવર અયોધ્યામાં ટિપ્પણીની વિરુદ્ધ આ ફરિયાદ નોંધવામાં આવી છે. વિવેક ગર્ગ નામના દિલ્હીના વકીલે દિલ્હી પોલીસ કમિશ્નરને ફરિયાદ કરતા કેસ નોંધવાની વિનંતી કરી છે.
ખુર્શીદે પુસ્તકમાં હિન્દુત્વને ISIS અને બોકો હરમ જેવો ગણાવ્યો
પુસ્તકમાં હિન્દુત્વની સરખામણી ISIS અને બોકો હરમ જેવા આતંકી સંગઠનો સાથે કરતા સલમાન ખુર્શીદે કહ્યું કે હિન્દુત્વ સાધુ સંતોના સનાતન અને પ્રાચીન હિન્દુ ધર્મને કિનારે લગાવી રહ્યા છે. જે દરેક રીતે ISIS અને બોકો હરમ જેવા જિહાદી ઈસ્લામી સંગઠનો જેવા છે. તેનું કારણ પુછવા પર સલમાને કહ્યું કે હિન્દુ ધર્મ બહું ઉચ્ચ સ્તરનો ધર્મ છે. આ માટે ગાંધીજીએ જે પ્રેરણા આપી તેનાથી વધારે કોઈ પ્રેરણા નથી. કોઈ નવું લેબલ લગાવી લે તો હું તેને કેમ માનું? કોઈ હિન્દુ ધર્મનું અપમાન કરશે તો હું બોલીશ મે એમ કહ્યું કે હિન્દુત્વની રાજનીતિ કરનારા ખોટા છે અને ISIS પણ ખોટા છે.
હાલમાં અયોધ્યાના ઉત્સવમાં એવું લાગે છે કે એક જ પાર્ટીનો ઉત્સવ હોય- ખુર્શીદ
ત્યારે સુપ્રીમ કોર્ટના નિર્ણય અને પોતાની પુસ્તકને લઈને સલમાન ખર્શીદે કહ્યું કે અયોધ્યા વિવાદને લઈને સમાજમાં વહેંચણીની સ્થિતિ હતી. સુપ્રીમ કોર્ટે તેનું સમાધાન કાઢ્યું. કોર્ટના નિર્ણયને દૂર સુધી જોવાનો પ્રયાસ કર્યો છે. એવો નિર્ણય છે જેનાથી એવું ના લાગે કે અમે હાર્યા અને તમે જીત્યા. ભાજપ સરકાર તરફ ઈશારો કરતા તેમણે કહ્યું કે એવું એલાન તો નથી થયું કે અમે જીત્યા પરંતુ ક્યારેક ક્યારેક એવા સંકેત આપવામાં આવે છે કે તમામને જોડવાનો પ્રયાસ થવો જોઈએ. હાલમાં અયોધ્યાના ઉત્સવમાં એવું લાગે છે કે એક જ પાર્ટીનો ઉત્સવ હોય.
મસ્જિદ માટે પણ જમીન આપવાનો નિર્દેશને નજર અંદાજ કરવામાં આવ્યો
દેશમાં હિન્દુત્વવાદી રાજનીતિના પ્રભાવની ચર્ચા કરતા સલમાન ખુર્શીદ લખે છે કે મારી પાર્ટી, કોંગ્રેસમાં ચર્ચા ઘણીવાર આ મુદ્દા તરફ વધી છે. કોંગ્રેસમાં એક એવી છાપ છે જેને આ વાત પર પછતાવો છે કે અમારી તસવીર અલ્પસંખ્યક સમર્થક પાર્ટી છે. આ છાપ અમારી લીડરશીપને જનેઉધારી ઓળખની વકીલાત કરે છે. તેમણે અયોધ્યા પર આવેલા નિર્ણય પર પ્રતિક્રિયા આપતા આ જાહેરાત કરી દીધી કે હવે આ સ્થળ પર ભવ્ય મંદિર બનાવવામાં આવશે. આ વલણને નિશ્ચિત રીતે સર્વૌચ્ચ ન્યાયાલય તરફથી આપવામાં આવેલા આદેશના તે ભાગને નજર અંદાજ કર્યો જેમાં મસ્જિદ માટે પણ જમીન આપવાનો નિર્દેશ કરવામાં આવ્યો હતો. આને લઈને જ્યારે સલમાન ખુર્શીદને સવાલ કરવામાં આવ્યો તે તેમણે ન જણાવ્યું કે તેમનું નિશાન કયા નેતાઓ તરફ છે. પરંતુ કેટલાક નેતાઓએ પોતાની સમજ અને ખાનગી આસ્થાથી એવું કહ્યું હશે. આપણે તે કહેવું જોઈએ જે રાહુલ ગાંધી કહે છે એ નહીં જે કેટલાક લોકોએ કહ્યું.