લોકસભાની ચુંટણીની ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં કાર્યકરો અને નેતાગીરી વચ્ચેનો અસંતોષ સામે આવી રહ્યો છે. રાજકોટ કોંગ્રેસમાં વિખવાદ બાદ જામનગર કોંગ્રેસમાં પણ કાર્યકરોનો અસંતોષ સપાટી પર આવ્યો છે. જીલ્લા કારોબારી બેઠકમાં જીલ્લા સંગઠન અને જામજોધપુર ધારાસભ્યના મનસ્વી વર્તન અંગે જાહેરમાં ફરિયાદ કરવામાં આવતાં કોંગ્રેસની આંતરિક જુથવાદ અને અસંતોષ બહાર આવ્યો છે.
કોંગ્રેસ દ્વારા આજે જામનગર ખાતે શહેર-જીલ્લા કક્ષાની કારોબારી સંગાઠન મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જીલ્લા પ્રભારી જસવંત ભટ્ટીની હાજરીમાં આ બેઠક મળી હતી. જેમાં જીલ્લા સંગઠનના હોદ્દેદારો અને જામજોધપુર ધારાસભ્ય ચિરાગ કલારીયાને લઈને કાર્યકરોએ રોષ ઠાલવ્યો હતો.
તાલુકા સ્તરે કાર્યકરોને વિશ્વાસમાં લીધા વિના સંગઠનના સભ્યોની નિમણુક કરી દેવામાં આવી હોવાના આક્ષેપ કાર્યકરો દ્વારા કરવામાં આવ્યા છે. બીજી તરફ જામજોધપુર કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ દ્વારા ઉગ્ર ભાષામાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી. સ્થાનિક ધારાસભ્ય ચિરાગ કાલરીયા દ્વારા કાર્યકરોની અવગણનાની ફરિયાદ કરવામાં આવી હતી. જેના કારણે કોંગ્રેસે તાલુકા પંચાયત નગરપાલિકા અને માર્કેટિંગ યાર્ડ ગુમાવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. સામા પક્ષે પ્રભારીએ શિષ્ટ અને સંગઠનને મજબુત બનાવવા કાર્યકરોને અપીલ કરી. જે અસંતોસ છે તેને ડામી દેવામાં આવશે એમ જણાવ્યું હતું.