મોંઘવારીના મારથી કંપનીઓ કંટાળી ગઈ છે, જેનું ભયંકર પરિણામ ગ્રાહકોને ભોગવવું પડે છે. તેથી એફએમસીજી કંપનીઓએ વસ્તુઓના પેકેટનું વજન ઘટાડવાનું શરૂ કરી દીધું છે.
મોંઘવારીની માઠી અસર વર્તાવા લાગી
કંપનીઓ પાસે અન્ય કોઈ વિકલ્પ નથી
ઝડપથી વધી રહ્યા છે જથ્થાબંધ ભાવ
પાંચ રૂપિયાવાળા પેકેટ બંધ થઈ જશે
મોંઘવારીના મારથી કંપનીઓ કંટાળી ગઈ છે, જેનું ભયંકર પરિણામ ગ્રાહકોને ભોગવવું પડે છે. તેથી એફએમસીજી કંપનીઓએ વસ્તુઓના પેકેટનું વજન ઘટાડવાનું શરૂ કરી દીધું છે. પારલે અને બ્રિટાનિયા જેવી કંપનીઓએ ગ્રામિણ બજારોમાં પકડ જમાવી રાખવા માટે નાના પેકેટેમાં સામાન વેચાણ પર વધારે ભાર આપે છે. તેનું કુલ વેચાણ નાના પેકેટવાળી વસ્તુમાં 40થી 50 ટકા ભાગીદારી છે.
મોંઘવારીની માઠી અસર વર્તાવા લાગી
જો કે, મોંઘા તેલ, ખાંડ અને ઘઉંની કિંમતના કારણે આ કંપનીઓ પર બે રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધી નાના પેકેટમાં વજનના કાપનું પ્રેશર વધી રહ્યું છે. છેલ્લા છ મહિનામાં ખ્યાતનામ પારલે જી બિસ્કીટના 10 રૂપિયાથી ઓછી કિંમતના પેકેટનું વજન ઘટાડીને સાતથી આઠ ટકા મોંઘુ કરી દીધું છે.
પારલે પ્રોડક્ટ્સના વરિષ્ઠ કેટેગરી પ્રમુખ કૃષ્ણરાવ બુદ્ધાનું કહેવુ છે કે, નાના પેકેટનું ઉત્પાદન ખૂબ જ પડકાર જનક છે, કારણ કે તેનાથી થતી કમાણી વધુ સારી નથી. તેમણે કહ્યું કે, જ્યાં સુધી શક્ય છે, અમે પેકેટનું વજન ઘટાડ્યું છે. આવી રીતે અમે ટકી રહીએ છીએ અને મોંઘાવારી સામે લડી રહ્યા છીએ. 10 રૂપિયાથી વધારે કિમતના પેકેટની કિંમતોમાં અમે ડાયરેક્ટ વધારો કરીએ છીએ.
ઝડપથી વધી રહ્યા છે જથ્થાબંધ ભાવ
મોંઘવારીના કારણે ન ફક્ત પરિવારના ખર્ચા ઘટ્યા છે, પણ કંપનીઓ પણ પ્રભાવિત થઈ રહી છે. તેનું કારણ એ છે કે, છુટક કિંમતોની સરખામણીએ જથ્થાબંધ કિંમતો ઝડપથી વધી રહી છે. ઉદાહરણ તરીકે વાર્ષિક આધાર પર માર્ચ ત્રિમાસિકમાં ખાંડની કિંમતમાં સાત ટકાનો ઉછાળો આવ્યો હતો, તો વળી કાજૂની કિંમતમાં 35 ટકાનો વધારો થયો હતો. આ ઉપરાંત પેકેઝિંગની કિંમત પણ વધી છે. માર્ચ ત્રિમાસિકમાં લેમિનેશન 20 ટકા મોંઘુ થયું છે.બોક્સની કિંમતમાં 21 ટકાનો વધારો થયો છે.
કંપનીઓ પાસે અન્ય કોઈ વિકલ્પ નથી
બુદ્ધાનું માનવુ છે કે, અમારી પાસે કોઈ વિકલ્પ નથી, અમે પાંચ અને દશ રૂપિયાની કિંમતવાળા પેકેટના વેચાણ ચાલુ રાખશે, કારણ કે ગ્રાહકોને એજ જોઈએ છે. પારલે બિસ્કીટના પાંચ રૂપિયાવાળા પેકેટનું કંપનીનું કુલ વેચાણ 40થી 50 ટકા ભાગીદારી છે. તો વળી 10 રૂપિયાવાળા પેકેટનું કુલ વેચાણ 25થી 30 ટકા ભાગીદારી છે.
કંપની ચલાવવી અઘરી
પ્રિયા ગોલ્ડ બ્રાંડના બિસ્કીટ વેચનારી કંપની સૂર્યા ફૂડ એન્ડ એગ્રોનું કહેવુ છે કે, મોંઘવારીના કારણે કંપની ચલાવવી મુશ્કેલ છે. કંપનીના ડાયરેક્ટર શેખર અગ્રવાલનું કહેવુ છે કે, પહેલા મોંઘવારી વધવાથી અમે વજન ઓછુ કરતા હતા, પણ હવે આ પ્લાન કામ કરતો નથી.
પાંચ રૂપિયાવાળા પેકેટ બંધ થઈ જશે
અમે પાંચ રૂપિયાવાળા પેકેટ બંધ કરી દઈશું અથવા તો પાંચ રૂપિયાવાળા પેકેટની કિંમત 10 રૂપિયા કરી દઈશું. હવે અમે પાંચ રૂપિયાનું કોઈ પણ પેકેટ આપી શકતા નથી. સૂર્યા ફુડ એન્ડ એગ્રોના પોર્ટફોલિયામાં 70 ટકાની ભાગીદારી પાંચ અને 10 રૂપિયાવાળા પેકેટની છે.