ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે. ત્યારે કોરોના રાજ્યની યુનિવર્સિટીઓની પરીક્ષામાં પણ અડચણ ઉભી કરા કોલજને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહીં પરંતુ પરંતુ પ્રોરેટા મુજબ પરિણામ જાહેર કરવાની દિશામાં શિક્ષણ વિભાગ વિચાર કરી રહ્યું છે. જો કે, આ અંગેનો નિર્ણય આગામી અઠવાડિયા સુધીમાં જાહેર કરી દેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં કોરોના વાયરસને કારણે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જો કે, આમ થવાને કારણે રાજ્યની વિવિધ યુનિવર્સિટીની પરિક્ષાઓ ખોરંભે ચડી છે. આ સાથે એવી પણ આંશકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, લોકડાઉનનો સમયગાળો હજી વધી શકે છે. ત્યારે વિદ્યાર્થીઓની પરીક્ષા અંગે શું કરવું તે અંગેનો વિકલ્પ રાજ્યનું શિક્ષણ વિભાગ વિચારી રહ્યું છે.
કોલેજની પરીક્ષાને લઇને શિક્ષણ વિભાગ વિચારમાં
આ સાથે એવું પણ વિચાર કરવામાં આવી રહ્યો છે કે, જો પરીક્ષા લેવામાં ન આવે તે રિઝલ્ટ આપવું કેવી રીત..? આ તમામ બાબતના અંગે કુલપતિથી લઇને શિક્ષણ વિભાગના અધિકારીઓ વિચારી રહ્યા છે. જેમાં એક તારણ એવું પણ કાઢવામાં આવ્યું છે કે, પરીક્ષા નહીં તો પ્રોરેટા મુજબ પરિણામ જાહેર કરવું.
પ્રોરેટા મુજબ વિદ્યાર્થીઓને જાહેર થઇ શકે છે પરિણામ
જેમાં પહેલા અને બીજા સેમેસ્ટરના પરિણામોના મૂલ્યાંકન કરી ત્રીજા સેમેસ્ટરનું પરિણામ આપવું, આ જ પ્રમાણે જો ચોથા સેમેસ્ટરમાં વિદ્યાર્થી હોય તો પહેલા, બીજા અને ત્રીજા સેમ.ના આધારે ચોથાનું રિઝલ્ટ આપવું. ત્યારે હવે આ મામલે ફાઇનલ શું નિર્ણય લેવામાં આવી શકે છે તે આગામી અઠવાડિયામાં જાહેર કરવામાં આવશે.