રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદ અંગેના ઝળુંબતા ખતરાને પગલે આગમચેતીના ભાગેરૂપે અનેક જિલ્લાઓમાં આવતીકાલે પણ શાળા કોલેજો બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઈને જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, અમરેલી, વલસાડ સહિતના જિલ્લાઓમાં આવતીકાલે પણ શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ રાખવા અંગે નક્કી કરવામાં આવ્યું છે.
આવતીકાલે ૧૫/૭/૨૨ જિલ્લાના તમામ શાળા, આંગણવાડી, કોલેજો , ITI બંધ રહેશે. તમામ આચાર્યશ્રીઓએ જે શાળાઓએ ઓનલાઈન શિક્ષણ આપી શકે તેમ છે, તે શાળાઓએ ઓનલાઈન શિક્ષણ આપી શકાશે, ઓફ લાઇન શિક્ષણ કાર્ય બંધ રહેશે.@DDO_VALSAD@SEOC_Gujarat@pkumarias@CMOGuj
અનેક જિલ્લાઓમાં આવતીકાલે શાળા-કોલેજો બંધ રહેશે
અમરેલી જિલ્લા પ્રશાસને હવામાન વિભાગની આગાહીને ધ્યાને રાખીને નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે આવતીકાલે શાળા-કોલેજોમાં રજા રહેશે. સબંધિત તંત્ર દ્વારા 15 જુલાઇના રોજ શાળા કોલેજ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. મહત્વનું છે કે અમરેલીમાં ભારે વરસાદની સ્થતિને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઇને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ સહિતના જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતી જોતા તા.15/07/2022ના રોજ જીલ્લાની તમામ શાળાઓ, કોલેજો, ઓદ્યોગિક તાલીમ સંસ્થાઓ, આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવે છે. શાળાઓ ખુલ્લી રાખવાની રહેશે અને કર્મચારીઓએ શાળાએ હાજર રહી હેડ ન છોડવા પણ સૂચના આપવામાં આવી છે. વધુમાં કોઇ દુર્ઘટના થઈ તો ઉચ્ચઅધિકારીઓને જાણ કરવા અંગે પણ સૂચના આપી દેવામાં આવી છે.
શિક્ષણ ચાલુ રાખવુ કે બંધ તે નક્કી કરવા આપ્યો છે અધિકાર
મહત્વનું છે કે શાળા કોલેજ કે અન્ય શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓની સલામતીને સ્થાનિક વરસાદી સ્થિતિ અનુરૂપ શિક્ષણકાર્ય બંધ કે ચાલુ રાખવા અંગે શહેર-જિલ્લાના સક્ષમ અધિકારી કે વહીવટી તંત્ર નિર્ણય લઇ શકશે. તેમ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું, આ બાબતે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે પરામર્ષ કરાયા બાદ આ નિર્ણય લેવાયો હતો.
— Info Girsomnath Gog (@InfoGirsomnath) July 13, 2022
6 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા 17 જુલાઇ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે પ્રવક્તા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ 6 જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા હોવાથી પોરબંદર, અમરેલી, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદાના રહેવાસીઓને ચેતવ્યા છે.