રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે અમદાવાદમાં વિકાસ કામોનું લોકાર્પણ કરશે. શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનના 851 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરશે. વસ્ત્રાપુર તળાવ ખાતે નર્મદા નીરના વધામણાં કરશે.
SVP હોસ્પિટલમાં બનેલી NHL કોલેજનું લોકાર્પણ
1300 મીટર લાંબા RCC રોડનું લોકાર્પણ
વસ્ત્રાપુર તળાવ ખાતે નર્મદા નીરનાં વધામણાં
851 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ
મુખ્યમંત્રી વિજય રૂપાણી આજરોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 851 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. જેમાં સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલમાં બનેલી NHL કોલેજનું લોકાર્પણ કરશે. જ્યારે અન્ય વિકાસ કામોમાં 1 હજાર 300 મીટર લાંબા RCC રોડનું લોકાર્પણ કરશે. જ્યારે ઘન કચરા મેનેજમેન્ટ માટેના કોર્પોરેશનના પિકર મશીનનું પણ લોકાર્પણ કરશે.
વસ્ત્રાપુર તળવામાં નર્મદા નીરના વધામણાં
મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદના મધ્યમાં આવેલા વસ્ત્રાપુર તળાવ ખાતે નર્મદા નીરના વધામણાં કરશે. ત્યારબાદ સીએમ રૂપાણીના હસ્તે વસ્ત્રાપુર તળાવ ખાતે બોટિંગ પણ શરૂ કરવામાં આવશે. આમ છેલ્લા ઘણા સમયથી ખાલીખમ રહેલા વસ્ત્રાપુર તળાવમાં નર્મદા નીર આવતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી છે.
નવા આવાસોનું સીએમ રૂપાણીના હસ્તે લોકાર્પણ અને ખાતમુર્હૂત
સીએમ વિજય રૂપાણી દ્વારા અમદાવાદ શહેરમાં 851 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. જેમાં 2 હજાર 482 આવાસોનું પણ લોકાર્પણ કરાશે. આ સાથે સીએમ રૂપાણી અન્ય 8 હજાર 275 નવા આવાસોનું ખાત મુર્હૂત પણ કરશે.