કચ્છમાં CM રૂપાણીના સ્વાગત માટે લાલ જાજમ પાથરી હતી, કોરોના કામગીરી સમીક્ષા વખતે લાલ જાજમ પાથરતા વિવાદનો વંટોળ ઉભો થયો હતો
કચ્છમાં કોરોનાકાળમાં વહીવટી તંત્ર પર ઉઠ્યા સવાલ
CM રૂપાણીના સ્વાગત માટે પાથરી લાલ જાજમ
કોરોના કામગીરી સમીક્ષા વખતે પાથરી લાલ જાજમ
કચ્છમાં કોરોનાકાળમાં વહીવટી તંત્ર પર સવાલ ઉઠ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી કચ્છની મુલાકાતે હતા. આ દરમિયાન CM રૂપાણીના સ્વાગત માટે લાલ જાજમ પાથરી હતી. કોરોના કામગીરી સમીક્ષા વખતે લાલ જાજમ પાથરતા વિવાદનો વંટોળ ઉભો થયો છે. રાજ્ય મહામારીમાં લાલ જાજમ શા માટે પાથરવામાં આવી તેવા સવાલ ઉઠ્યા છે. સ્વાગત માટે પથરાયેલી લાલ જાજમ ચર્ચાનો મુદ્દો બન્યો છે.
કચ્છની મુલાકાત દરમિયાન CM વિજય રૂપાણીએ મોટું નિવેદન આપ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યની સ્થિતિ પર રોજ અવલોકન થઈ રહ્યું છે. સ્થિતિ વણસી તો 20 શહેર ઉપરાંત રાત્રી કર્ફ્યૂ લગાવાશે. આ સાથે કચ્છને 2000 બેડની હોસ્પિટલ ફાળવાશે તેની પણ જાહેરાત કરી હતી.
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પહેલા જામનગર અને પછી કચ્છની મુલાકાતે હતી. રાજ્યના અલગ-અલગ જિલ્લામાં મુખ્યમંત્રી દ્વારા સ્થિતિનું આંકલન કરવામાં આવી રહ્યું છે. કચ્છની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું, રાજ્યમાં રોજ ટેસ્ટિંગ વધારવામાં આવી રહ્યા છે. અને ટેસ્ટિંગ વધતા કેસનું પ્રમાણ પણ વધવાનું છે. પરંતુ જે લોકોને કોરોના સંક્રમણ લાગ્યું છે. તેમને અન્ય લોકોથી દૂર આઈસોલેટ કરવાની કામગીરી થઈ રહી છે. કચ્છમાં ટેસ્ટ વધારવાની સાથે 24 કલાકમાં તેનું પરિણામ આપવામાં આવશે. જેના માટે નવું મશિન ભૂજને આપવામાં આવ્યું છે. સાથે કચ્છમાં 80 જેટલા નવા વેન્ટિલેટર આપવામાં આવશે.
બેડ વધારવા અંગે કચ્છમાં મુખ્યમંત્રીનું નિવેદન
મુખ્યમંત્રીએ કહ્યું કે, કચ્છ જિલ્લાના જુદા-જુદા તાલુકામાં નવા 2 હજાર બેડ વધારવામાં આવશે. આ સાથે હેલ્પ ડેસ્ક બોર્ડ બનાવવામાં આવશે. જેથી દર્દીઓના સગા સંબંધીઓને તેમની જાણ થતી રહેશે. સાથે CMએ કહ્યું કે, મોરબીમાંથી આવતા દર્દીઓને પણ મોરબીમાં જ મળી રહે, તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.