સુરતઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા યાત્રાનું સુરતથી મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે પ્રસ્થાન થયું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતમાંથી એકતા યાત્રાને લીલીઝંડી આપ્યા બાદ બારડોલીમાં સભા સંબોધતા કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.
સીએમ રૂપાણીએ કહ્યું કે સરદારની વિશ્વની સૌથી મોટી પ્રતિમા બનાવી શ્રદ્ધાંજલિ આપી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી 1 નવેમ્બરથી લોકો માટે ખુલ્લુ મુકાશે. રાષ્ટ્ર માટે નાના મતભેદો ભૂલી એક સાથે કામ કરીએ.
તેમણે કહ્યું કે નર્મદા ડેમ એ સરદારનું સ્વપ્ન હતું. નર્મદા ડેમનુ સ્વપ્ન 40 વર્ષ સુધી શક્ય બન્યું નહિ. કોંગ્રેસ સરદારનુ અપમાન કર્યુ છે. સરદારનું ચિત્ર 40 વર્ષ સુધી મુકાયું ન હતું. માત્ર એક જ પરિવારનો ઇતિહાસ રજૂ કરાયો.
સીએમ રૂપાણીએ કહ્યું કે સરદાર એકતાનું પ્રતિક છે. સરદારની કર્મભૂમિથી એકતાના સંદેશ સાથે રથ પ્રસ્થાન થયો. સરદારે સમગ્ર દેશને એક કર્યો છે. જૂનાગઢ અને હૈદરાબાદ જેવું હોય તો વિઝા લેવા પડતા હતા. સરદારે જો કાશ્મીર હાથમાં લીધુ હોત તો સમસ્યા ન હોત. તેમણે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધારનો નિર્ણય કર્યો હતો.
તેમણે કહ્યું કે ખેડૂતને મફત વીજળી મળે અને વીજળી વેચે તેવી પહેલ કરી છે. કોંગ્રેસ ખેડૂતના નામે ધમાલ કરી રહી છે. કોંગ્રેસે ટેકાના ભાવથી ચોખાનો એક દાણો ખરીદ્યો નથી. સરકારે ખેડૂતો માટે અનેક યોજના બનાવી છે. સરકારે વગર વ્યાજે લોન આપી છે. ખેડૂતો માટે સૂર્યશક્તિ કિસાન યોજનાનો આરંભ કર્યો છે.