રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ 94 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેઓ રાજ્યના 7માં મુખ્યમંત્રી હતા. ઉલ્લેખનીય છે કે માધવસિંહ સોલંકી રાજ્યમાં 4 વખત મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ પોતાની ખામ થિયેરીને લઇને પ્રખ્યાત હતા. ખામ થિયેરીના આધારે વિધાનસભામાં સૌથી વધુ બેઠક મેળવી હતી. પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના નામે વિધાનસભામાં 149 બેઠક જીતવાનો રેકોર્ડ છે. તેઓએ પત્રકાર તરીકે પણ કામ કર્યું છે.
રાજ્યના મુખ્યમંત્રી 12 વાગ્યે બોલાવી કેબિનેટ બેઠક
કેબિનેટ બેઠકમાં માધવસિંહને શ્રદ્વાંજલિ અપાશે
એક દિવસનો રાજકીય શોક જાહેર કરાયો
માધવસિંહ સોલંકીના નિધનને લઈને CM રૂપાણીએ કાર્યક્રમ રદ કર્યા છે અને લુણાવાડાનો કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યો છે. CM રૂપાણીએ 12 વાગ્યે કેબિનેટ બેઠક બોલાવી છે આ કેબિનેટ બેઠકમાં માધવસિંહને શ્રદ્વાંજલિ અપાશે અને એક દિવસનો રાજકીય શોક જાહેર કરાયો છે. સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરાશે.
પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માધવસિંહ સોલંકીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે તેઓએ ગુજરાતના રાજકારણમાં મહત્વની ભૂમિકા નિભાવી છે. તેઓને સમાજમાં મહત્વનું યોગદાન આપવા માટે યાદ કરવામાં આવશે. પીએમ મોદીએ તેમના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું. પીએમ મોદીએ આ દુઃખ અવસર પર માધવ સિંહ સોલંકીના પુત્ર ભરતસિંહ સોલંકી સાથે ફોન પર વાત કરી અને પોતાની સંવેદના વ્યક્ત કરી.
શંકરસિંહ વાઘેલા પણ થયા ગળગળા
શંકરસિંહ વાઘેલાએ માધવસિંહ સોલંકીની શ્રદ્ધાંજલિ આપી હતી તેમણે માધવસિંહ સોલંકીના નિવાસસ્થાને જઇ અંતિમ દર્શન કર્યા હતા. રાજ્યના વિકાસમાં માધવસિંહજીનું યોગદાન અમર રહેશે.
નીતિન પટેલે માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ આપી
નીતિન પટેલે જણાવ્યું હતુ કે, માધવસિંહ જાહેર જીવનના અગ્રણી નેતા હતા. 1947થી રાજકીય જીવનમાં સક્રિય થયા હતા. યુવાન વયથી જ રાજકારણમાં સક્રિય થયાઃ નીતિન પટેલ
4 વખત તેઓ મુખ્યમંત્રી રહ્યાં હતા. 2 વર્ષ સુધી કેન્દ્ર સરકારમાં મંત્રી રહ્યાં હતા. મધ્યાહન ભોજન યોજના શરૂ કરાવી હતી. બક્ષીપંચમાં 27 ટકા અનામતનો લાભ આપ્યો. કેબિનેટ બેઠકમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ છે. શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ઠરાવ પસાર કરાયો છે અને 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. એક દિવસનો રાજકીય શોક પાળવામાં આવશે. રાજકીય સન્માન સાથે અંતિમવિધિ કરાશ. અંતિમસંસ્કાર મુદ્દે માધવસિંહજીનો પરિવાર નક્કી કરશે તે મુજબ થશે. ભરતસિંહ સોલંકી હાલ અમેરિકા છે. ભરતસિંહના આવ્યા બાદ અંતિમસંસ્કાર અંગે નક્કી કરાશે.
માધવસિંહ સોલંકીની સફર
30 જૂલાઇ 1927ના રોજ માધવસિંહનો જન્મ થયો હતો
માધવસિંહ સોલંકી ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે
1957માં મુંબઇના ધારાસભ્ય બન્યા હતા માધવસિંહ સોલંકી
ગુજરાત અલગ રાજ્ય બનતા ગુજરાતની ધારાસભામાં આવ્યા
૨૪ ડિસેમ્બર, ૧૯૭૬થી ૧૦ એપ્રિલ, ૧૯૭૭ સુધી મુખ્યમંત્રી રહ્યા
૭ જૂન, ૧૯૮૦થી ૧૦ માર્ચ, ૧૯૮૫ સુધી મુખ્યમંત્રી રહ્યા
૧૦ ડિસેમ્બર, ૧૯૮૯થી ૪ માર્ચ, ૧૯૯૦ સુધી મુખ્યમંત્રી રહ્યા
માધવ સિંહ સોલંકી ખામ થિયરી માટે જાણીતા થયા
ખામ થિયરીથી તેઓ 1980માં સત્તામાં આવ્યા હતા
ખામ થિયેરીના આધારે વિધાનસભામાં સૌથી વધુ બેઠક મેળવી હતી
વિધાનસભામાં 149 બેઠક સાથે જીતવાનો માધવસિંહનો રેકોર્ડ
માધવસિંહ સોલંકી પત્રકાર તરીકે કામ કર્યું છે
કોંગ્રેસ પક્ષના નેતા અને ભારતના ભુતપૂર્વ વિદેશ મંત્રી રહી ચૂક્યા છે
ગુજરાતમાં ઐતિહાસિક સૌથી વધુ 40.૧૮ ટકા વિકાસદર તેઓના શાસનમાં રહ્યો હતો
ખેત મજુરોના દૈનિક વેતનમાં વધારો કરી લઘુત્તમ વેતનનો આરંભ કર્યો
માધવસિંહ સોલંકીના પુત્ર ભરતસિંહ કોંગ્રેસના કદ્દાવર નેતા છે
માધવસિંહના કાળમાં રાજ્યમાં SEBC અનામતની શરૂઆત થઇ
માધવસિંહ સોલંકી ગુજરાત સમાચારમાં નોકરી કરતા હતા
ગુજરાતમાં મફ્ત કન્યા કેળવણી પણ માધવસિંહનાં સમયમાં શરૂ થઈ
દેશભરમાં મધ્યાહ્ન ભોજન માધવસિંહની દેન
માધવસિંહ સોલંકીએ જિલ્લા-પછાત વિસ્તારોમાં GIDCઓ સ્થાપી