મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે પીવાના પાણીની પાઈપલાઈનનું ખાતમુહૂર્ત કર્યુ હતુ જેમાં પત્રકારોને સવાલ આપતા તેમણે ખેડૂત આંદોલનને રાજકિય આંદોલન હોવાનં કહી વાત વાળી લીધી હતી આવો જાણીએ શું કહ્યુ CM રૂપાણીએ?
ભાવનગર પીવાના પાણીની પાઇપલાઇનનું ખાતમુહૂર્ત
376 કરોડના ખર્ચે પાઈપલાઈન નખાશે
20 શહેરોમાં પીવાનું પાણી મળશે
ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય, શહેરી તથા ઔદ્યોગિક વિસ્તારો મળી કુલ ૬૧૨ ગામો અને ૨૦ શહેરોની ભવિષ્યની કુલ ૪૩ લાખની વસ્તીને આવનારા સમયમાં અપૂરતા, અનિયમિત કે ક્ષારયુક્ત પાણી જેવી સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટે નર્મદા તેમજ મહી પરીએજ યોજના આધારિત અંદાજે ૩૭૬.૧૯ કરોડના કામનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે કરવામાં આવ્યું હતું
આ આંદોલન ખેડૂતોનું નહીં પરંતુ રાજકીય આંદોલન છે: CM
આ પ્રંસગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે પાણીની સમસ્યા એ ભૂતકાળ બની જશે તેમને ખેડૂતોના આંદોલન મુદ્દે જણાવ્યું હતું કે આ આંદોલન ખેડૂતોનું નહીં પરંતુ રાજકીય આંદોલન છે તેમને વેક્સીનના મામલે જણાવ્યું હતું કે સર્વેની કામગીરી 75 ટકા પૂર્ણ થઈ ચુકી છે અને તેને દેવા માટેની કામગીરી પણ હાથ ધરવામાં આવશે.
આગામી ૨૦ માસના આ સમયગાળામાં પૂર્ણ કરવામાં આવશે
વધુમાં સીએમ રૂપાણીએ જણાવ્યું હતુ ક, ત્રણ જિલ્લાઓની ઘટતી દૈનિક ૧૮ કરોડ લીટર પીવાના પાણીની માંગને પૂરી કરવા માટે ૩૭૬.૧૯ કરોડની ભાવનગર જિલ્લાના બુધેલ થી બોરડા સુધી ૫૮ કિલોમીટર એમ.એસ પાઇપ લાઇન હયાત પાઈપ લાઈનની સમાંતર નાખવાનું નક્કી કરેલ છે. જે યોજના આગામી ૨૦ માસના આ સમયગાળામાં પૂર્ણ કરવામાં આવનાર છે.
કુલ ૪૩ લાખની વસ્તીને વધારાના પીવાના પાણીનો લાભ મળી શકશે
આમ, આ યોજનાના કામો પૂર્ણ થયેથી અને યોજના કાર્યાન્વિત થયેથી ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય, શહેરી તથા ઔદ્યોગિક વિસ્તારો ના કુલ ૬૧૨ ગામો અને ૨૦ શહેરોની ભવિષ્યની કુલ ૪૩ લાખની વસ્તીને વધારાના પીવાના પાણીનો લાભ મળી શકશે.