TMC પ્રમુખ અને મુખ્યમંત્રી મમતા બેનર્જી ઘાયલ થયા બાદ પહેલીવાર આજે 1 વાગે કોલકત્તામાં વ્હીલચેર પર પદયાત્રા કરશે. પાર્ટી આજે મેનિફેસ્ટો જાહેર કરશે નહીં.
મુખ્યમંત્રી મમતા બેનર્જી કરશે પદયાત્રા
1 વાગે વ્હીલચેર પર કરશે પદયાત્રા
પાર્ટી આજે મેનિફેસ્ટો જાહેર કરશે નહીં
પ. બંગાળની મુખ્યમંત્રી અને તૃણમૂળ કોંગ્રેસ સુપ્રીમો મમતા બેનર્જી છેલ્લા કેટલાક દિવસોથી નંદીગ્રામમાં ઈજાગ્રસ્ત થઈ હતી. આ પછી તેઓએ કોલકત્તાની એક હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. ગઈકાલે તેમને હોસ્પિટલથી રજા અપાઈ છે અને તે ઘર માટે વ્હીલચેર પર બેસીને આવ્યા હતા. તેમના પગમાં પાટો બાંધેલો છે. આ વાતની શક્યતા છે તે ડોક્ટરે આરામની સલાહ આપ્યા બાદ પણ ચૂંટણી હોવાના કારણે એક સત્તારૂઢ પાર્ટીના હોદેદ્દાર ઘરે કેવી રીતે બેસી શકે, મળતી માહિતી અનુસાર મમતા આજે બપોરે 1 વાગે કોલક્ત્તામાં અને આવતી કાલે એટલે કે 15 માર્ચે બંગાળના સિયાસી અખાડામાં વિપક્ષને ઘાયલ કરશે. આ માટે કાર્યક્રમને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. તેમની પહેલી રેલી 15 માર્ચે પુરલિયામાં થશે અને 16 માર્ચે બાંકુરામાં તો 17 માર્ચે ઝારગ્રામમાં પાર્ટીના કાર્યકરો સાથે વોટ અપીલ કરશે.
तृणमूल कांग्रेस पश्चिम बंगाल विधानसभा चुनाव के लिए अपना घोषणापत्र आज जारी नहीं करेगी। पार्टी का घोषणापत्र आज जारी होने वाला था। अगली तारीख की घोषणा बाद में की जाएगी। #WestBengalElections2021
પાર્ટી આજે મેનિફેસ્ટો જાહેર કરશે નહીં, સહાનુભૂતિ વોટ એકઠા કરવાની કોશિશ
આજે પ.બંગાળમાં ટીએમસી પોતાનું જાહેરનામું રજૂ કરવાની હતું પણ તેને હાલમાં સ્થગિત કરાયું છે. આ સાથે માનવામાં આવી રહ્યું છે કે રાજનેતા સિયાસતમાં દરેક ઘટનાને અલગ રીતે જોવામાં આવી રહી છે. મમતાએ કહ્યું છે કે ઘાયલ હોવાના કારણે તે વ્હીલચેર પર બેસીને પ્રચાર કરશે. મમતા જો વ્હીલ ચરે પર બેસીને ચૂંટણી મંચ પર જોવા મળે છે તો તેની પ્રબળ શક્યતા છે કે સહાનુભૂતિ વોટનો ફાયદો તૃણમૂલ કોંગ્રેસને મળી શકે છે.
શું કહ્યું હતું મમતા બેનર્જીએ
મુખ્યમંત્રીએ કહ્યું કે હોસ્પિટલથી સમર્થકોને માટે એક વીડિયો જાહેર કર્યો હતો, તેમાં તેઓએ કહ્યું કે મને આવનારા 2થી 3 દિવસમાં જમીન પર પાછા આવવાની આશા છે. ઘા છે પણ હું તેને મેનેજ કરી લઈશ, હું એક પણ મીટિંગ ડ્રોપ કરીશ નહીં. શક્ય છે કે કેટલાક દિવસો માટે મારે વ્હીલચેરની મદદ લેવી પડે. હું તમારો સપોર્ટ ઈચ્છું છું.
મમતા પર હુમલા બાદ બંગાળમાં વિપક્ષી દળ થયું સતર્ક
મમતા બેનર્જી ઘાયલ થયા બાદ પ, બંગાળમાં વિપક્ષી દળોએ સતર્કતા રાખવાનું શરૂ કર્યું છે. આ સતર્કતા સહાનુભૂતિ વોટને લઈને કરવામાં આવી રહી છે. કોંગ્રેસ પાર્ટીએ હાલમાં જ પોતાના પ્રદેશ અધ્યક્ષ અધીર રંજન ચૌધરીના એ નિવેદન સાથે અસહમતિ આપી હતી જેમાં તેઓએ કહ્યું હતું કે મમતા નંદીગ્રામ સીટ હારી રહી છે. આ માટે તે નાટક કરી રહી છે. કોંગ્રેસ પાર્ટીને અધીર રંજનના નોટંકી શબ્દથી વિરોધ હતો. એટલું જ નહીં ભાજપ અને વામદળોએ પણ પોતાની રણનીતિ બદલી છે. હવે જોવાનું એ છે કે ઘાયલ મમતા વ્હીલ ચેર પર બેસીને કઈ રીતે વિપક્ષને ઘાયલ કરશે.