રથયાત્રામાં પહિંદ વિધિનું વિશેષ મહાત્યમ રહેલુ છે. રાજ્યના મુખ્યમંત્રી દ્વારા પહિંદ વિધિ કરવામાં આવે છે પરંતુ સીએમ ભૂપેન્દ્ર પટેલ છે કોરોના પોઝિટીવ
1લી જુલાઇએ ભક્તો સાથે નીકળશે રથયાત્રા
રથયાત્રામાં પહિંદવિધિનું ખાસ મહત્વ
સીએમ ભૂપેન્દ્ર પટેલ છે કોરોના પોઝિટીવ
તો પહિંદવિધિ કરશે કોણ ?
કોરોનાના બે વર્ષ પછી આ વર્ષે ભક્તો સાથે ધામધૂમથી રથયાત્રા નીકળવાની છે. જેને લઇને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. હરખભેર જગન્નાથજી ભક્તોને દર્શન આપવા 1 જુલાઇએ નીકળવાના છે પરંતુ રથયાત્રા પહેલા જે પહિંદ વિધિ કરવામાં આવે છે તે આ વર્ષે કરશે કોણ તે એક સવાલ ઉભો થયો છે.
રથયાત્રામાં પહિંદવિધિ કરશે કોણ ?
એ વાત તો સ્વાભાવિક છે મુખ્યમંત્રી જ પહિંદવિધિ કરે પરંતુ સીએમ ભૂપેન્દ્ર પટેલ તો કોરોના પોઝિટીવ છે. ત્યારે આ વખતે પહિંદ વિધિ કરશે કોણ તે એક સવાલ થઇ પડ્યો છે.વર્ષોથી એવી પરંપરા છે કે સીએમ જ પહિંદવિધિ કરે પરંતુ જો તેઓ કોરોના નેગેટીવ ન આવ્યા તો આ પ્રોટોકોલ પણ તૂટી શકે છે. કારણ કે હજી તો પહેલીવખત જ ભૂપેન્દ્ર પટેલને પહિંદવિધિ કરવાનો અવસર મળ્યો છે.
સીએમ ભૂપેન્દ્ર પટેલ છે કોરોના પોઝિટીવ
મહત્વનું છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલને કોરોનાના હળવા લક્ષણો જણાતા તેઓ ઘરમાં જ કોરોન્ટાઇન થયા છે. રથયાત્રા માટે યોજાયેલી સમીક્ષા બેઠકમાં પણ તેઓ વર્ચ્યુઅલી હાજર રહ્યા હતા. તો બીજી તરફ કેબિનેટ બેઠક સહિત અન્ય કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા છે. આવામાં મહત્વનો સવાલ એ પણ છે કે જો સીએમ ભૂપેન્દ્ર પટેલનો કોરોના રિપોર્ટ નેગેટીવ ન આવે તો પહિંદ વિધિ કરશે કોણ ?
બપોર સુધીમાં થશે જાહેરાત
તો આ અંગે હાલ કોઇ સત્તાવાર માહિતી મળી નથી કે સીએમ ગેરગહાજરીમાં પહિંદવિધિ કોણ કરશે પરંતુ એવા સમાચાર સામે આવ્યા છે કે બપોર સુધીમાં પહિંદ વિધિ કોણ કરશે તેની જાહેરાત કરવામાં આવશે.
જગન્નાથજી રથયાત્રામાં પહિંદ વિધિનું અનોખું મહાત્મય છે. જેમાં નાથની નગરયાત્રા પહેલા પહિંદ વિધિ કરવામાં આવે છે. જેમાં રાજ્યનો રાજા એટલે કે મુખ્યમંત્રી જગન્નાથજીનો પ્રથમ સેવક હોવાથી તેમના દ્વારા સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરવામાં આવે છે. ગુજરાતમાં આ વિધિને પહિંદ વિધિ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ઓડિશાના જગન્નાથ પુરીમાં તેને છેરા પહેરા તરીકે ઓળખવામાં આવે છે.
1990થી પહિંદ વિધિની શરૂઆત
રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જગતના નાથ નગરયાત્રાએ નીકળે ત્યારે રસ્તો સાફ કરવામાં આવે છે. તથા રાજ્યના પ્રથમ નાગરિક દ્વારા જ ભગવાનના રથનું દોરડું ખેંચીને રથને પ્રસ્થાન કરાવવામાં આવે છે. ગુજરાતમાં 1990થી પહિંદ વિધિની શરૂઆત કરાઈ હતી.