ઉત્તરાયણ પર્વ ઉપર દાન-પુણ્યનો મહિમા અનેરો હોય છે. અમદાવાદના જમાલપુર ખાતે ભુપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથ મંદિરે ભગવાન જગન્નાથના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લીધા અને ભગવાન જગન્નાથની આરતી કરી.તેમજ ઉત્તરાયણ પર્વ નિમિત્તે ભગવાન જગન્નાથ મંદિરે CM પટેલે વિશેષ પૂજા અર્ચના કરી હતી...ત્યારબાદ ગાય માતાની પણ પૂજા કરી હતી..તેમજ ધબળા અને સુખડી વિતરણ કરીને ઉત્તરાયણ નિમિતે દાન પૂર્ણય કર્યુ હતું.
CM ભુપેન્દ્ર પટેલે પતંગ ચગાવી
ઉતરાયણના પર્વ પર CM ભુપેન્દ્ર પટેલે પોતાના ભાઇના ઘરે પરિવાર સાથે મનાવી ઉત્તરાયણ, કેતન પટેલના ઘરના ધાબા પરથી પતંગ ચગાવી ઉત્તરાયણનો આનંદ માણ્યો હતો. સાથે ચિક્કી અને કચોરીયાનો શ્વાદ પણ માણ્યો હતો.
સીએમ પક્ષી સારવાર કેન્દ્રોની મુલાકાત લેશે
ઉત્સાહ અને ઉમંગના પર્વ એટલે ઉત્તરાયણ માં ક્યારેક પતંગ રસિયાઓ ની મજા પરંતુ આકાશમાં ઉડતા પક્ષીઓ ની સજા બની જતું હોય છે દોરી થી પક્ષીઓ ઘાયલ થતાં ઝાડ પણ કેવાય ઉપર લટકતા જોવા મળતા હોય છે ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે વિવિધ જગ્યાએ પક્ષી સારવાર કેન્દ્રોની મુલાકાત લેશે અને દોરીથી ઘવાયેલા પશુઓ માટે થતાં નીદાનનું રૂબરૂ જઈ પરીક્ષણ કરશે.
સીએમ ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું?
રાજ્યના સૌ નાગરિકોને ઉત્તરાયણ-મકરસંક્રાંતિના પાવન પર્વની સૌને શુભેચ્છાઓ પાઠવું છું.ઉત્સવ સૌને ઉન્નતિ ના પંથે લઈ જઈ પ્રગતિ અને વિકાસ માટેનો અવસર બને તેમજ સામાજિક સદભાવના વાહક બની રહે તેવી મનોકામના.
PM મોદીએ ટ્વીટ કરી કહ્યું Have a wonderful Uttarayan
અમિત શાહએ ઉત્તરાયણની શુભેચ્છાઓ પાઠવી
ઉત્તરાયણ ના પાવનકારી પર્વની આપ સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજનો પવિત્ર તહેવાર આપણા સહુના જીવનમાં પ્રગતિ અને ઉન્નતિનો ઉજાશ પાથરે એવી સૂર્ય નારાયણ ભગવાનને પ્રાર્થના.
જે પી નડ્ડા પણ ટ્વીટ કર્યું
હર્ષોલ્લાસની સાથે ઉજવવામાં આવતા ઉત્તરાયણના મહાપર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. સૂર્યદેવ સૌના જીવનમાં પ્રકાશ અને નવી ઊર્જાનો સંચાર કરે અને દરેક ઘરને સુખ, સમૃદ્ધિ અને આરોગ્યથી ભરી દે એવી કામના કરું છું.
રાહુલ ગાંધીએ પણ પાઠવી શુભેચ્છા
તહેવારોના આ દિવસે, હું ભોગી, ઉત્તરાયણ અને ઈમા ઈમોઈનુ ઈરાતપા નુમિતના અવસર પર શુભેચ્છા પાઠવું છું. આરોગ્ય, શાંતિ અને સુખની શુભેચ્છાઓ.