બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / CM attends state-level Republic Day function organized at Gir Somnath

Republic day 2022 / CM ભૂપેન્દ્ર પટેલે ગીર સોમનાથમાં ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ, કોરોનાનાં કારણે સાંસ્કૃતિક કાર્યક્રમ નહીં

ParthB

Last Updated: 10:14 AM, 26 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ગીર સોમનાથમાં ઉજવણી કરાઈ હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધ્વજવંદન કર્યુ હતું.

  • ગીર-સોમનાથમાં રાજ્યકક્ષાની 73માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ  
  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના નેતાઓની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરાયું 
  • સુરક્ષાદળોના 18 પ્લાટુન્સ શિસ્તબદ્ધ પરેડ કરી રાષ્ટ્ર ધ્વજને સલામી આપી  

ગીર-સોમનાથમાં 73માં રાજ્યકક્ષાનો પ્રજાસત્તાક પર્વની ઉજવણી

આજે દેશભરમાં આન બાન શાન સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે બીજી તરફ, રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ગીર સોમનાથમાં ઉજવણી કરાઈ હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધ્વજવંદન કર્યુ હતું. પરંતુ કોરોનાના કારણે સાંસ્કૃતિક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા. માત્ર 42 મિનિટમાં કાર્યક્રમ પૂરો કરવામા આવ્યો હતો.

રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વનો કાર્યક્રમ કોરોનાને કારણે ટૂંકાવવામાં આવ્યો

પ્રજાસત્તાક પર્વનો કાર્યક્રમ કોરોનાને કારણે ટૂંકાવીને મુખ્યમંત્રીના હસ્તે ધ્વજવંદન સહિત 42 મિનિટનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સાથે કોરોનાના કારણે સાંસ્કૃતિક કાર્યક્રમો રદ કરાયા હતા. માત્ર સુરક્ષા દળની 18 પ્લાટુન્સ પરેડ કરી હતી. કોરોનાની ગાઈડલાઈન સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે. પ્રધાનમંત્રી બાળ પુરસ્કાર 2022ના વિજેતા અન્વી ઝાંઝરૂકિયા અને કરૂણા અભિયાન અંતર્ગત વિશિષ્ટ કામગીરી કરતી સંસ્થા અને વ્યક્તિનું સન્માન પણ કરાયું હતુ. 

આ કાર્યક્રમમાં 600 નાગરિકોની ઉપસ્થિત રહ્યાં હતાં.

સોમનાથ ખાતે યોજાયેલ રાજયકક્ષાના 73માં પ્રજાસત્તાક પર્વમાં 18 પ્લાટુને  મુખ્યમંત્રીને સલામી આપી હતી. જ્યારે સુરક્ષા વિભાગની વિવિધ પાંખો દ્વારા 18 પ્લાટુન બનાવીને ભવ્ય પરેડનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં 600 નાગરિકોની ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોરોના નિયમનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું,  જેમાં નેવીના કમાન્ડો, સમગ્ર રાજ્યભરની વિવિધ જિલ્લાની પોલીસ પ્લાટુન, મહિલા પોલીસ પ્લાટુન, શ્વાન દળ, અશ્વદળ, એન.એસ.એસ યુનિટ, તેમજ વિવિધ સુરક્ષાદળો જોડાયા હતાં. પોલીસ બેન્ડ પાર્ટી દ્વારા ધ્વજવંદન અને પરેડમાં ઉત્સાહ વર્ધક ધૂનો દ્વારા વાતાવરણની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. 

ગાંધીનગર કમલમ ખાતે સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ઉજવણી કરાઈ 

બીજી તરફ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કમલમ ખાતે સી.આર.સી.આર.પાટીલે ધ્વજવંદન કર્યુ હતું. બાદમાં સૌને  પ્રજાસત્તાક પર્વની પાઠવી શુભેચ્છા હતી. અને દેશની અઝાદી માટે જેઓએ શહાદ વહોરી તેમને યાદ કર્યા હતાં. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ