રાજસ્થાન સરકારમાં અંદરખાને બળવો ચાલી રહ્યો હોય તેવી ચર્ચા વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોતે મોટો સંદેશ આપ્યો છે. જાણો શું કહ્યું તેમણે...
રાજસ્થાનમાં પણ બળવો થવાની તૈયારી!
આગામી 15 વર્ષ કોંગ્રેસની જ સરકાર રહેશેઃ CM ગેહલોત
હું તો શાંતિ ધારિવાલને ફરીથી મંત્રી બનાવીશઃ CM ગેહલોત
પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે રાજસ્થાનમાં પણ બળવો થવાની તૈયારી થઇ રહી છે. હજુ સુધી વધુ હોબાળો તો નથી થયો, પરંતુ અંદરખાને સંબંધો વચ્ચે તકરાર સ્પષ્ટ જણાઇ રહી છે. આ અટકળો વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોતે સ્પષ્ટ કરી દીધું છે કે, આગામી વખતે પણ હું જ મુખ્યમંત્રી બનવાનો છું.
ગેહલોતનો મોટો સંદેશ
મીડિયા સાથે વાત કરતા અશોક ગેહલોતે સ્પષ્ટ કરી દીધું કે રાજસ્થાનમાં પંજાબ જેવું નથી થવાનું. મીડિયા અને ભાજપ એવી વાતો ચલાવી રહ્યા છે, પરંતુ રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર સંપૂર્ણ તપાસ 5 વર્ષ ચાલશે. આગામી 15 વર્ષ પણ કોંગ્રેસની જ સરકાર રહેશે.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, પંજાબ બાદ રાજસ્થાન, છત્તીસગઢ અંગે ચર્ચા કરાઇ રહી છે કે અહીં પણ ફેરફાર થવાના છે. તમે નિઃસંકોચ રહો 5 વર્ષ સરકાર રહેશે અને આવતી વખતે પણ સરકાર બનાવીશું. આગામી વખતે પણ હું જ મુખ્યમંત્રી બનીશ અને પોતાની મરજીથી મંત્રી બનાવીશ. હું તો શાંતિ ધારિવાલને ફરીથી નગર વિકાસ મંત્રી બનાવીશ.
હું બહાર નિકળીશ તો કેટલાકને તકલીફ થશેઃ ગેહલોત
ગહેલોતે કહ્યું કે, ભાજપવાળા કહે છે કે મુખ્યમંત્રી ઘરની અંદર બેઠા છે. હું તો હોટલમાં જૈસલમેર-જયપુર ફરતો હતો. આ તો બધુ અમિત શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનની કૃપા રહી. એ તો અમારા ધારાસભ્યોએ બચાવી લીધો નહીં તો ખબર નહીં ક્યા રહેત. ત્યારે ભાજપ પર કટાક્ષ કરતા ગેહલોતે કહ્યું કે, તેમના બહાર નિકળવાથી કેટલાક લોકોને તકલીફ થવા લાગશે.
15 વર્ષ સરકાર ચલાવવાનો દાવો
તેમણે કહ્યું કે, કંઇ થવાનું નથી, હજુ 15 વર્ષ રહેશે. ઘરમાં નથી બેઠો હું, નિકળીશ તો તમને પણ અને તમારા ચાહનારાઓને પણ તકલીફ થવા લાગશે. હવે ગેહલોતને આ એટલા માટે કહેવું પડ્યું કારણ કે તેના પર સતત આ આરોપ લાગ્યો કે તેઓ જમીન પર નથી ઉતરતા. તેમને જમીની સ્થિતિનો અંદાજ નથી. હવે તેમના આરોપો વચ્ચે ગેહલોતે આ સ્પષ્ટતા કરી છે.
પાયલટે સચિન પાયલટ પર સાધ્યું નિશાન
ઇશારાઓમાં તેમણે સચિન પાયલટ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, મંત્રી પણ પોતાની પસંદગીના બનાવીશ અને આગામી વખતે પણ મુખ્યમંત્રી બનીશ, આ કહેવું જ સ્પષ્ટ પાયલટને પડકાર આપવો છે કારણ કે લાંબા સમયથી પોતાના સમર્થકોને કેબિનેટમાં સામેલ કરવા માંગે છે.