પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે નાગરિકતા સંશોધન બિલ ( Citizenship Amendment Bill ) નો વિરોધ કર્યો છે. કેપ્ટન અમરિન્દર સિંહનું કહેવું છે કે નાગરિકતા સંશોધન બિલ ભારતની લોકશાહી ભાવનાના વિરુદ્ધ છે, તેથી તેઓ આ બિલનો વિરોધ કરે છે.
કેપ્ટન અમરિન્દર સિંહે નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કર્યો
કેપ્ટન અમરિન્દર સિંહે કહ્યું, પંજાબમાં તેને લાગૂ કરવામાં નહીં આવે
નોંધનીય છે કે, કેપ્ટન અમરિન્દર સિંહ શનિવારે નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં સામેલ થયા. જ્યાં તેઓએ નાગરિકતા સંશોધન બિલને લઇને પોતાનો વિરોધ દર્શાવ્યો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે નાગરિકતા સંશોધન બિલ અને નેશનલ રજિસ્ટર ફોર સિટિઝન એટલે કે એનઆરસી ( NRC ) બંનેને ખોટા બતાવ્યા. કેપ્ટનનું કહેવું છે કે પંજાબ કોઇપણ હાલતમાં નાગરિકતા સંશોધન બિલને મંજૂર નહીં કરે, કેમકે આ બિલ એનઆરસીની જેમ લોકશાહીની ભાવનાથી વિરુદ્ધ છે. તેઓએ કહ્યું કે પંજાબમાં તેને લાગૂ કરવામાં નહીં આવે.
નોંધનીય છે કે, પંજાબ દેશની બોર્ડર સાથે જોડાયેલ રાજ્યોમાં સામેલ છે. ભારત-પાકિસ્તાન બોર્ડરનો એક લાંબો ભાગ પંજાબથી પસાર થાય છે અને પાક. જવાનો સૌથી પ્રમુખ રસ્તો પણ પંજાબમાં જ છે. કેપ્ટન અમરિન્દરે જ્યાં એનઆરસી અને નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કર્યો ત્યારે તેઓએ પોલીસ એન્કાઉન્ટર પર સીધો જવાબ નહોતો આપ્યો. જોકે, તેઓનું કહેવું છે કે, કાયદાના દાયરાથી બહાર જઇને પોલીસે કાર્યવાહી ન કરવી જોઇએ.