કાંકરિયા કાર્નિવલમાં શાન્તાક્લોઝનાં કપડા પહેરીને કેટલાક લોકો ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરી રહ્યા હતા ત્યારે ત્યાં હાજર રહેલ કેટલાક લોકોએ શાન્તાક્લોઝને માર માર્યો હતો.
અમદાવાદના કાંકરિયા કાર્નિવલની ઘટના
ખ્રિસ્તી ધર્મોનો પ્રચાર કરવાનો આરોપ
સાન્તાક્લોઝનો ડ્રેસ પહેરેલા શખ્સોને માર
VHP અને બજરંગદળના કાર્યકરોએ માર્યો માર
અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ હાલમાં ચાલી રહ્યો છે. રોજ લાખો લોકો કાંકરિયા કાર્નિલવમાં આનંદ માણી રહ્યા છે. ગત રોજ કાંકરિયા કાર્નિવલમાં શાન્તાક્લોઝનાં કપડા પહેરીને કેટલાક લોકો ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરી રહ્યાનો આરોપ કેટલાક લોકો દ્વારા લગાવવામાં આવ્યો હતો. ત્યારે ત્યાં હાજર રહેલ કેટલાક લોકોએ શાન્તાક્લોઝને માર માર્યો હતો. જેનો વીડિયો વાયરલ થવા પામ્યો છે. ત્યારે આ બાબતે બજરંગદળના કાર્યકરોએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી શાન્તાક્લોઝના કપડા પહેરીને ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરી રહ્યા છે.
શુક્રવારે રાતે કાંકરિયા કાર્નિવલ દરમ્યાન ઝુ ની એન્ટ્રી પાસે પાછલા 4 દિવસથી મિશનરીસ દ્વારા શાન્તાક્લોઝ બનીને ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરતી પુસ્તકો લોકો વહેંચીને ઈસુ અને ખ્રિસ્તી ધર્મ વિશે સમજાવટ કરીને વટાળ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતા હતા. ત્યારે કાંકરિયા કાર્નિવલ શરૂ થયું ત્યારથી કેટલાક લોકો શાન્તાક્લોઝનો ડ્રેસ પહેરીને કાંકરિયા કાર્નિવલમાં આવી પ્રચાર કરી રહ્યા હોવાનું વિહિપના ધ્યાને આવ્યું હતું.
આ સમગ્ર ઘટનાના વીડિયોમાં કેદ થઈ જવા પામી
આ બાબતની જાપણ વિહિપ થતા બજરંગદળના લોકો ગઈ કાલ રાત્રે આશરે 9 કલાકે બજરંગદળના પ્રાંત પ્રમુખ જવલીતભાઈ મહેતાની આગેવાની હેઠળ 20 કાર્યકરોએ સરકારી કાર્યક્રમમાં ચાલતી વટાળ પ્રવૃત્તિને બંધ કરાવી હતી. આ સમગ્ર ઘટનાના વીડિયોમાં કેદ થઈ જવા પામી હતી. વીડિયોમાં એવું પણ સાંભળવા મળી રહ્યું છે કે આ લોકોએ ધર્મનો પ્રચાર કરવા અન્ય કોઈ જગ્યાએ જવું. તેમજ શાન્તાક્લોઝ બનેલ વ્યક્તિને માર પણ મારવામાં આવે છે.
સમગ્ર પ્રવૃતિને બંધ કરાવી હતી
આ બાબતે વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તાને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસથી ખ્રિસ્તી ધર્મના લોકો કાંકરિયા કાર્નિવલ દરમ્યાન શાન્તાક્લોઝ બનીને પ્રચાર કરી રહ્યા હતા. જે અંગની જાણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળને થતા તેઓએ બજરંગદળના પ્રાંત પ્રમુખ જ્વલિતભાઈ મહેતાની સમગ્ર પ્રવૃતિનો બંધ કરાવી હતી.