નાગરિકતા બિલ પર શિવસેનાએ એકવાર ફરી પોતાનું વલણ બદલ્યું છે. મંગળવાર શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જ્યાં સુધી વસ્તુઓ સ્પષ્ટ નથી થઇ જતી, અમે સમર્થન નહીં કરીએ. મીડિયા સાથે વાતચીત કરતા ઠાકરે કહ્યું, જ્યાં સુધી વસ્તુઓ સ્પષ્ટ નથી થઇ જતી, અમે બિલનું સમર્થન નહીં કરીએ. જો કોઇ પણ નાગરિકમાં આ બિલને લઇને ડર છે તો, તેની શંકા દૂર થવી જોઇએ. તેઓ પણ આપણા નાગરિક છે. તેથી તેના સવાલોના પણ જવાબ આપવા જોઇએ.
નાગરિકતા બિલ પર શિવસેનાએ એકવાર ફરી પોતાનું વલણ બદલ્યું
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, તમામ વસ્તુઓ સ્પષ્ટ ન થાય, ત્યાં સુધી સમર્થન નહીં
શિવસેનાએ લોકસભામાં નાગરિકતા બિલનું સમર્થન કર્યું છે
નોંધનીય છે કે, લોકસભામાં બિલના પાસ થવાના પહેલા શિવસેનાએ તેનો વિરોધ કર્યો હતો. જોકે, બાદમાં જ્યારે આ બિલને ગૃહમાં રજૂ કરવામાં આવ્યું તો શિવસેનાના સાંસદોએ આ બિલનું સમર્થન કર્યું હતું.
લોકસભામાં નાગરિકતા બિલ રજૂ થતા પહેલા શિવસેનાના સમાચાર પત્ર 'સામના' માં તેની ટીકા કરતા સવાલ ઉઠાવાયા હતા, કે શું હિન્દુ ગેરકાયદેસર શરણાર્થીઓની 'પસંદગીયુક્ત સ્વીકૃતિ' દેશમાં ધાર્મિક યુદ્ધનું કામ નહીં કરે. તેઓએ કેન્દ્ર પર બિલને લઇને હિન્દુઓ અને મુસ્લિમોનું 'અદ્રશ્ય વિભાજન' કરવાનો આરોપ લગાવ્યો.
Maharashtra Chief Minister Uddhav Thackeray: If any citizen is afraid of this Bill than one must clear their doubts. They are our citizens so one must answer their questions too. https://t.co/aB8LQSrmxE
ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ વાળી પાર્ટીએ એમ પણ કહ્યું કે બિલની આડમાં 'વોટ બેંકની રાજનીતિ' કરવી દેશના હિતમાં નથી. જોકે, શિવસેનાએ બાદમાં લોકસભામાં આ બિલનું સમર્થન કર્યું.
ભાજપ માટે રાજ્યસભામાં બિલ પાસ કરાવું સરળ નહીં
નાગરિકતા સંશોધન બિલ લોકસભામાં તો સરળતાથી પાસ થઇ ગયું છે પરંતુ બુધવારે જ્યારે મોદી સરકાર તેને રાજ્યસભામાં રજૂ કરશે તો એ સરળ બની રહેશે નહીં. નાગરિકતા સંશોધન બિલના પક્ષમાં જેડીયૂ, શિવસેના, બીજેડી અને પૂર્વોત્તરની કેટલીક પાર્ટીઓના સાથે આવવાથી લોકસભામાં તો સરકારે આ બિલ સરળતાથી પાસ કરાવી લીધું છે. પરંતુ શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યસભામાં સમર્થન આપવાની શરત રાખીને હાલ ભાજપની મુસીબત વધારી દીધી છે.
ઉદ્ધવ ઠાકરે કહ્યું કે નાગરિકતા સંશોધન બિલનો જે પણ વિરોધ કરી રહ્યા છે, એ તમામને દેશદ્રોહી માનવા ભ્રમ છે. શરણાર્થી ક્યાં અને કયા પ્રદેશમાં રાખવામાં આવશે. આ તમામ બાબતો સ્પષ્ટ થવી જોઇએ. સાથે જ શિવસેનાએ કહ્યું હતું કે શરણાર્થીઓને 25 વર્ષ સુધી વોટ કરવાનો અધિકાર ન આપવો જોઇએ.
લોકસભામાં શિવસેનાના સાથે આવ્યા બાદ લાગી રહ્યું હતું કે રાજ્યસભામાં સરકારને આ બિલ પાસ કરાવવામાં કોઇ ખાસ મુશ્કેલી નહીં પડે. એવામાં હવે શિવસેના પ્રમુખે જે પ્રકારે શરત રાખી છે, ત્યારબાદ રાજ્યસભામાં સમીકરણને નવા પ્રકારે બેસાડવું પડશે. શિવસેનાની પાસે ભલે 3 રાજ્યસભા સદસ્ય છે. પરંતુ ઉદ્ધવ ઠાકરેની શરત એવી છે, જેના આધારે અન્ય પાર્ટીઓ પણ શિવસેનાના સૂરમાં સૂર મિલાવી શકે છે. જો આમ બને છે તો મોદી સરકાર માટે રાજ્યસભામાં બિલ પાસ કરાવવું પડકારજનક બની રહેશે.