મહારાષ્ટ્ર કેડરના આઈપીએસ અધિકારી અબ્દુર્રહમાને નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે જણાવ્યું કે, સાંપ્રદાયિક અને ગેરબંધારણીય બિલના વિરોધમાં તેમણે રાજીનામું આપ્યું છે.
સાંપ્રદાયિક અને ગેરબંધારણીય બિલના વિરોધમાં આઇપીએસ અધિકારીએ રાજીનામું આપ્યું
IPS અધિકારીએ કહ્યું, તમામ ન્યાયપ્રિય લોકો લોકશાહી ઢબે આ બિલનો વિરોધ કરે
મુંબઈમાં વિશેષ પોલીસ મહાનિરીક્ષક (IG) તરીકે તહેનાત અબ્દુર્રહમાને જણાવ્યું હતું કે, તેઓ આજથી ઓફિસ નહીં જાય. આ બિલ લોકોના અધિકારોની વિરુદ્ધ છે. હું તમામ ન્યાયપ્રિય લોકોને અપીલ કરું છું કે તેઓ લોકશાહી ઢબે આ બિલનો વિરોધ કરે. આ બંધારણની મૂળ ભાવનાઓની વિરુદ્ધ છે.
અબ્દુર્રહમાને ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, મેં ૧ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ વીઆરએસ માટે અરજી કરી હતી. ૨૫ ઓક્ટોબરે રાજ્ય સરકારે કેન્દ્રીય ગૃહમંત્રાલયને મારી વીઆરએસની ભલામણ કરી હતી, પરંતુ ગૃહમંત્રાયલે મારી અરજી રદ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, મારી વિરુદ્ધ કોઇ વિભાગીય તપાસ પણ ચાલી રહી નથી. ગૃહ મંત્રાયલે ઉતાવળમાં મારી વીઆરએસ અરજીને રદ કરી દીધી છે. અબ્દુર્રહમાન વિરુદ્ધ વિભાગીય તપાસ ચાલી રહી છે અને તેમણે પહેલાં પણ વીઆરએસ માટે અરજી કરી હતી. અબ્દુર્રહમાને તેમની અરજીમાં લખ્યું છે કે તેઓ વ્યક્તિગત કારણોસર રાજીનામું આપી રહ્યા છે.
અબ્દુર્રહમાને બિલ અંગે જણાવ્યું હતું કે, બિલ સ્પષ્ટ રીતે મુસ્લિમ સમાજના લોકોની વિરુદ્ધ ભેદભાવ કરે છે. બિલ સંપૂર્ણ રીતે ગેરબંધારણીય છે અને કાયદાના સમાનતાના અધિકારની વિરુદ્ધ છે.