દિલ્હી પોલીસ મુખ્યાલયની બહાર રાજધાની દિલ્હીના ગેટથી અટકાયતમાં લેવાયેલા પ્રદર્શનકારીઓને મુક્ત કરવાની માંગને લઈને લોકો ધરણાં પર બેઠા. આ ધરણામાં અટકાયતમાં લેવાયેલા લોકોના પરિવારજનો પણ સામેલ થયા હતા. ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશ બાદ 40 પ્રદર્શનકારીઓને દરિયાગંજ પોલીસ સ્ટેશનથી મુક્ત કરવામાં આવ્યા હતા.
પોલીસ મુખ્યાલયની બહાર પ્રદર્શનકર્તાઓને મુક્ત કરવાની માંગ
પરિવારજનો સહિત અનેક લોકોએ કર્યા ધરણા
આદેશ બાદ 40 પ્રદર્શનકારીઓને મુક્ત કરવામાં આવ્યા
કોર્ટના આદેશ બાદ દિલ્હી ગેટ પરથી અટકાયત કરાયેલા વિરોધીઓને છૂટા કરવામાં આવ્યા છે. ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશ બાદ દરિયાગંજ પોલીસ સ્ટેશનમાંથી 40 વિરોધીઓને મુક્ત કરવામાં આવ્યા છે. અદાલતે પોલીસને અટકાયત કરાયેલા વિરોધ કરનારાઓની સારવાર કરાવવાનો અને સગીર પ્રદર્શનકર્તા સાથે જુવેનાઇલ જસ્ટિસ લો હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી સૂચના આપી છે.
CAA uproar: Protests outside Delhi Police Headquarters at ITO
આ સાથે દિલ્હી પોલીસ મુખ્યાલયની બહાર લોકોએ ધરણાં પણ પૂર્ણ કર્યા અને પ્રદર્શનકારીઓ દિલ્હી ગેટમાં થયેલા પ્રદર્શન સમયે અટકાયતમાં લેવાયેલા લોકોને મુક્ત કરવાની માંગ કરી રહ્યા હતા.
દિલ્હી સરકારના મંત્રીએ કહી આ વાત
દિલ્હી ગેટ પર થયેલા પ્રદર્શનને લઈને અટકાયતમાં લેવાયેલા લોકોને મુક્ત કરવાની માંગને લઈને દિલ્હી સરકારના મંત્રી ઈમરાન હુસૈન અને દિલ્હી વક્ફ બોર્ડના ચેરમેન અમાનતુલ્લાહ ખાન દરિયાગંજ પોલિસ સ્ટેશન પહોંચ્યા. ઈમરાન હુસૈને કહ્યું કે જે 40 લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે તેમાં મોટાભાગને છોડવામા આવી રહ્યા છે. જામા મસ્જિદ, સીલમપુર, ઓખલામાં શાંતિપૂર્વક પ્રદર્શન થયું છે. પણ કોઈ અસામાજિક તત્વ શૈતાની કરે તે દુઃખની વાત છે.
દિલ્હી વક્ફ બોર્ડના ચેરમેન અમાનતુલ્લાહે કરી અપીલ
દિલ્હી વક્ફ બોર્ડના ચેરમેન અમાનતુલ્લાહે કહ્યું છે કે શાંતિપૂર્ણ પ્રદરઅશનમાં આવીને જે ગરબડ કરે છે તે આરએસએસના કે ભાજપના લોકો છે. તે માહોલ ખરાબ કરવા ઇચ્છે છે. આ પ્રદર્શનને બીજેપી સાંપ્રદાયિક રંગ આપવા ઈચ્છે છે અને આ મુદ્દે મુસલમાનને જોડવા ઈચ્છે છે જ્યારે આ મુદ્દો હિંદુસ્તાનનો છે.
ધરણાં પર બેઠા લોકો
પ્રદર્શનકારીઓને મુક્ત કરવા માટે લોકો દિલ્હી પોલીસ મુખ્યાલયની બહાર ધરણાં પર બેઠા. જેમાં જામિયા મીલિયા ઈસ્લામિયા, જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સિવાય પણ અટકાયતમાં લેવાયેલા લોકોના પરિવારજનો સાથે રહ્યા હતા. આ સિવાય સ્થાનિકો પણ પ્રદર્શનમાં જોડાયા હતા. તેમની માંગ હતી કે દરિયાગંજ વિસ્તારમાં દિલ્હી ગેટથી અટકાયતમાં લેવાયેલા લોકોને મુક્ત કરવામાં આવે.
શુક્રવારે સાંજે આવી રહી સ્થિતિ
શુક્રવારે સાંજે દિલ્હી ગેટ પાસે પ્રદર્શનકારીઓની ભીડ ઉગ્ર બની અને વાહનોમાં આગ લગાવી દેવામાં આવી. પોલીસબળનો પ્રયોગ કરાયો અને સાથે 40 લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા. અટકાયતમાં લેવાયેલા લોકોની સંખ્યાને લઈને પોલીસ તરફથી કોઈ ખાસ નિવેદન આવ્યું નથી. સાંજના સમયે ભીડ પણ ઉગ્ર બની હતી. ભીડ જંતરમંતર સુધી માર્ચ કરવા ઈચ્છતી હતી પણ પોલીસ પરમિશન ન મળવાના કારણે અટકી હતી. કેટલાક લોકો એ પોલીસકર્મીઓ પર પથ્થરમારો પણ કર્યો હતો.