કન્નડ સ્ટાર ચિરંજીવી હવે આપણી વચ્ચે નથી રહ્યા, આ વાત પર હજી પણ તેમનો પરિવાર વિશ્વાસ નથી કરી શક્યો. ચિરંજીવીએ તેમની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ તેમના દેહાંતના એક દિવસ પહેલા એટલે કે રવિવારે કરી હતી.
તેમના કઝીન સૂરજ સર્જાએ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ ભાવૂક પોસ્ટ કરી હતી, સાથે જ તેણે હ્રદયના ખૂણ સુધી પહોંચે તેવી નોટ પણ લખી હતી. આ પોસ્ટમાં ચિરંજીવી તેમના કઝીન ભાઇ ધ્રુવ તેમજ સૂરજ સાથે જોવા મળે છે. તસવીરમાં નાનપણનો એક પોઝ તેમણે રિક્રીએટ કર્યો છે.
A post shared by SurajSarja (@surajsarjaofficial) on
39 વર્ષની વયે થયુ નિધન
હાર્ટ એટેકથી થયુ મોત
પત્ની મેઘના છે ગર્ભવતી
ચિરંજીવીના અંતિમ સંસ્કારમાં સુદીપ, યશ જેવા કલાકારો આવ્યા હતા. રશ્મિકા મંદાના, પૃથ્વીરાજ, અલ્લુ સિરીશ, કૃતિ ખરબંદા જેવા કલાકારોએ સોશિયલ મિડીયા પર ચિરંજીવીને શ્રદ્ધાંજલિ આપી હતી.
કોણ છે ચિરંજીવી
ચિરંજીવી એક ફિલ્મી પરિવારમાંથી આવે છે. તે કન્નડ અભિનેતાઓમાંથી એક છે. તે સુપરસ્ટાર શક્તિપ્રસાદના ગ્રાન્ડસન અને અર્જુન સર્જાના ભત્રીજા છે.
શક્તિપ્રસાદ
કન્નડ ફિલ્મોના પીઢ અભિનેતા જે. સી રામાસ્વામી કે જે તેમના સ્ટેજનૅમ શક્તિ પ્રસાદથી ઓળખાય છે.
જેમણે તેમના કરિયરના 20 વર્ષ કન્નડ ઇન્ડસ્ટ્રીને આપ્યા છે. તેમણે 200થી વધારે ફિલ્મો આપી છે. આ ફિલ્મોમાંથી ઘણી ફિલ્મો એવી છે તે જેનો પર્યાય આજે પણ મળ્યો નથી.
શક્તિપ્રસાદનો દિકરો છે અર્જુન સર્જા
શક્તિપ્રસાદ કે જેમણે કન્નડ ઇન્ડસ્ટ્રીના મહાનાયક કહી શકાય. તેમનો દિકરો એટલે અર્જુન સર્જા.
અર્જુન સર્જાનું નામ શ્રીનીવાસ સર્જા. જેમણે ઘણા હિટ મૂવીઝ આપ્યા છે. તેમણે અભિનયના ઓજસ પાથરીને દરેકના મન જીતી લીધા હતા.
મેઘના રાજ
મેઘના એક સક્સેસફૂલ અભિનેત્રી છે. તે કન્નડ અને મલયાલમ ફિલ્મોમાં અભિનય આપી ચૂકી છે.
સાથે જ તેણે તેલૂગુ અને તમિળ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. બાદમાં તેણે ચિરંજીવી સાથે લગ્ન કર્યા.
ધ્રુવ સર્જા
ધ્રુવ સર્જા પણ એક અભિનેતા છે. કન્નડ ફિલ્મોમાં તે ખૂબ જ લોકપ્રિય અભિનેતા છે. તે ચિરંજીવીનો કઝીન છે.
ચિરંજીવી સર્જાના અંતિમયાત્રાની વધુ તસવીરો જોવા અહી ક્લિક કરો