ચીનનું કહેવું છે કે દલાઇ લામાના ઉત્તરાધિકારીનો નિર્ણય પૂરી રીતે ચીનની અંદર જ થવો જોઇએ. ચીને ધમકી આપતા કહ્યું છે કે જો આ પ્રક્રિયામાં ભારત દખલ કરશે તો એની અસર દ્વિપક્ષીય સંબંધો પર પડશે.
દલાઈ લામાના ઉત્તરાધિકારીની પસંદગીને લઈને ચીને ફરી એક વાર પોતાની દાદાગીરી બતાવી છે. ચીનના અધિકારીઓનું કહેવું છે કે, દલાઈ લામાના ઉત્તરાધિકારી પર કોઈ પણ નિર્ણય ચીનની અંદર લેવામાં આવશે. આ મુદ્દે ભારત કોઈ પણ પ્રકારની દખલ ના કરે. જો ભારત આ મુદ્દે દખલ કરશે તો દ્વિપક્ષીય સંબંધો પર અસર પડી શકે છે.
દલાઈ લામાના ઉત્તરાધિકારીને ચીની સરકારની માન્યતા મળવી જોઈએ અને દલાઈ લામાની પસંદગી દેશની અંદર 200 વર્ષ જૂની ઐતિહાસિક પ્રક્રિયા હેઠળ થવી જોઈએ. દલાઈ લામાના ઉત્તરાધિકારી એક ઐતિહાસિક, ધાર્મિક અને રાજકીય મુદ્દો છે.
દલાઈ લામાના ઉત્તરાધિકારી માટે ઐતિહાસિક સંસ્થા અને ઔપચારિકતાની સ્થાપના કરવામાં આવી છે. દલાઈ લામાના ઉત્તરાધિકારી પર નિર્ણય કોઈ ખાનગી ઈચ્છા કે અન્ય દેશોમાં રહેતા લોકોના જૂથ દ્વારા લેવામાં આવી શકે નહીં.
વર્તમાન દલાઈ લામાને બીજીંગે માન્યતા આપી હતી અને તેમના ઉત્તરાધિકારીની પસંદગી સોનાના પાત્રમાં ડ્રો દ્વારા થવી જોઈએ.