ચીનમાં ફરી વાર કોરોનાએ માથુ ઉંચક્યું છે. શેનઝેન શહેરમાં કોરોના લોકડાઉન લગાડી દેવાયું છે તેને કારણે 1.7 કરોડ લોકો ઘરોમાં કેદ થયા છે.
ચીનમાં કોરોનાએ ઉથલો માર્યો
શેનઝેન શહેરમાં લાગ્યું લોકડાઉન
1.7 કરોડ લોકો ઘરોમાં કેદ
કોરોનાએ હવે ક્યાંક ને ક્યાંક ઉથલો મારવાનું શરુ કર્યું છે. જે દેશમાંથી કોરોના ફેલાયો હતો ત્યાં હવે કોરોનાએ માથુ ઉંચક્યું છે. ચીનના શેનઝેન શહેરમાં કોરોનાએ ઉથલો મારતા ટોટલ લોકડાઉન જાહેર કરી દેવાયું છે.ટોટલ લોકડાઉનને કારણે 1.7 કરોડ લોકોને ઘરોમાં કેદ રહેવાનો વારો આવ્યો છે. જો આવી જ સ્થિતિ રહી તો કોરોના મહામારીનો અંત કદી આવવાનો નથી તે સ્પસ્ટ છે.
China places 17 million residents of Shenzhen city under Covid lockdown, reports AFP News Agency quoting govt
66 કેસ આવ્યાં કોરોનાના
શેનઝેશ શહેરમાં એક દિવસમાં કોરોનાના 66 કેસ આવતા ટોટલ લોકડાઉન લગાડી દેવાયું છે, શહેરની તમામ મોટી બિલ્ડિંગ સીલ કરી લેવાઈ છે તથા લોકોની અવરજવર પર ટોટલ પ્રતિબંધ મૂકી દેવાયો છે.
ચીનમાં શનિવારે નોંધાયા કોરોનાના 3300 કેસ
કોરોના વાયરસ ચીનમાં ફરી એકવાર તબાહી મચાવી રહ્યો છે. શનિવારે અહીં કોરોનાના 3300 કેસ મળી આવ્યાં છે.પૂર્વોત્તર પ્રાંત જિલિનમાં 2,100થી વધુ કેસ નોંધાયા છે. આ દરમિયાન બહારથી આવતા 200 કોવિડ દર્દીઓની પુષ્ટિ થઈ હતી. આ ક્રમમાં હવે ચીનના શેન્ઝેન શહેરમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. ત્યારથી અત્યાર સુધીમાં 17 લાખ લોકોને પોતાના ઘરમાં કેદ કરવામાં આવ્યા છે.
બેઇજિંગમાં લાગ્યા આકરા પ્રતિબંધ
બેઇજિંગમાં પણ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે, જ્યારે શાંઘાઈમાં શાળાઓ અને ઉદ્યાનો બંધ કરી દેવામાં આવ્યા છે, જ્યારે બેઇજિંગમાં રહેણાંક વિસ્તારોમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નવા કેસ મળ્યા બાદ બેઈજિંગમાં પ્રશાસને લોકોને ઘરની બહાર ન નીકળવાનું કહ્યું હતું.
વિશ્વ આરોગ્ય સંગઠને મહામારીના અંતની શરુ કરી વિચારણા
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ કોરોના મહામારીના પ્રકોપથી બે વર્ષ બાદ વૈશ્વિક COVID-19 મહામારીને સમાપ્ત કરવાના માપદંડો પર વિચારણા કરવાની શરૂ કરી દીધી છે. જીનેવા સ્થિત એજન્સીએ 30 જાન્યુઆરી, 2020 ના રોજ સાર્વજનિક સ્વાસ્થ્ય ઇમરજન્સીની જાહેરાત કરી હતી.WHOમાં ઇમરજન્સી સ્થિતિના પ્રમુખે કહ્યું હતું કે, 'જો રસીકરણ અને દવાઓમાં વિશાળ અસમાનતાઓને ઝડપથી સંબોધવામાં આવે તો કોરોના મહામારી, મોતની સંખ્યા, હોસ્પિટલમાં દાખલ થવું તેમજ લોકડાઉન એ તમામ આ જ વર્ષે સમાપ્ત થઈ શકે છે.'
આપણે વાયરસને ક્યારેય ખતમ નથી કરી શકતા : માઈકલ રયાન
વિશ્વ આર્થિક મંચ દ્વારા આયોજિત વેક્સિન ઈક્વિટી પર એક પેનલ ચર્ચા દરમિયાન બોલતા માઈકલ રયાને જણાવ્યું હતું કે, "આપણે વાયરસને ક્યારેય ખતમ નથી કરી શકતા." કારણ કે આ પ્રકારની મહામારી વાયરસ "આખરે ઈકોસિસ્ટમનો ભાગ બની જાય છે. તેઓએ કહ્યું કે, "અમારી પાસે આ વર્ષે સાર્વજનિક સ્વાસ્થ્ય ઇમરજન્સીને સમાપ્ત કરવાનો એક મોકો છે પરંતુ ત્યારે કે અત્યારે આપણે તે વસ્તુઓ કરીએ કે જેના વિશે આપણે વાત કરી રહ્યાં છીએ.