ઓનલાઈન શિક્ષણથી બાળકો ચિડચિડીયા બન્યા, વહેલીતકે વર્ગો શરૂ કરવામા ના આવે તો બાળકોનું ભવિષ્ય ધૂંધળું થવાની ભીતિ, વાલીઓ અને શાળા સંચાલકો 1 થી 5 ધોરણના ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે
1 થી 5 ધોરણના વર્ગો શરૂ કરવા માગ
વાલીઓ અને શાલા સંચાલકોની માગ
ઓનલાઈન શિક્ષણની અસર બાળકોના સ્વાસ્થ્ય પર
રાજ્યમાં લાંબા સમયથી શાળાઓમાં ઓફલાઈન શિક્ષણકાર્ય બંધ છે, પરિણામે બાળકોના પાયાનાં ઘડતરમાં જે એજ્યુકેશન મળવું જોઈએ એ ન મળતાં હવે ઓફલાઈન વર્ગો શરૂ કરવાની માગ ઉઠી રહી છે, કેમ કે ઓનલાઈન વર્ગોમાં બાળકોને જોઈએ એવું શિક્ષણ મળતું નથી, તેમજ આખો દિવસ મોબાઈલમાં બાળકો રચ્યા પચ્યા રહેવાથી તેમની સર્જનાત્મકતાને પણ અસર પડી રહી છે. સતત ઓનલાઈન શિક્ષણને કારણે બાળકોના સ્વાસ્થ્ય પર પણ અસર પડી રહી છે જેના કારણે બાળકોના આંખના નંબર વધી રહ્યા છે, વધુ મોબાઈલના ઉપયોગથી બાળકોમાં ચિડીયા પણ આવી જાય છે એટલું જ નહીં અન્ય પણ સ્વાસ્થ્ય સંબંધિત બિમારીઓ થાય છે. આથી વહેલી તકે ધોરણ 1 થી 5 નું શિક્ષણકાર્ય શાળાઓમાં રાબેતા મુજબ શરૂ કરવા માંગ કરી છે.
ઓનલાઈન શિક્ષણની અસર બાળકોના સ્વાસ્થ્ય પર
રાજ્યમાં જેમ-જેમ કોરોના પર કંટ્રોલ આવતો જઈ રહ્યો છે હવે પહેલા કરતા કોરોના સંક્રમણ કેસમાં ઘટડો થયો છે ત્યારે ધોરણ 1 થી 5 નું શિક્ષણકાર્ય ફરી શરુ ન થતા બાળકોના અભ્યાસ પર તેની અસર પડી રહી છે. ધોરણ 1 થી 5 નું અભ્યાસ કરતાં બાળકોનાં ભવિષ્યને નુકસાન થઈ રહ્યું છે, કોરોના ખતરો ઓછો થતા રાજ્યમાં જન જીવન સામાન્ય બન્યું છે, હવે રાજ્યમાં તમામ વસ્તુઓ પરથી પ્રતિબંધો ધીમે-ધીમે દૂર કરવામાં આવ્યા છે.
1 થી 5 ધોરણના ઓફલાઈન વર્ગો શરૂ કરવા માગ
રાજ્યમાં હજુ સુધી ધોરણ 1 થી 5ની શાળાઓ શરૂ નથી થઈ, બાળકો ઓનલાઈન જ શિક્ષણ મેળવી રહ્યા છે, પરતું પ્રેક્ટિકલ જ્ઞાન ન ધરાવતા બાળકો ઉપરના ધોરણમાં મોકલી દેવામાં આવ્યા છે, ધોરણ 1માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ બે વર્ષ દરમિયાન કોઈ પણ પ્રકારના અભ્યાસ કર્યા વિના વર્ગ 3 તથા 4 સુધી પહોંચી ગયા છે વિના અભ્યાસે આગળના ધોરણમાં મોકલવામાં આવેલ વિદ્યાર્થીઓ ને વાંચતા લખતા કે શિક્ષણ નું તદ્દન મૌલિક જ્ઞાન પણ નથી અને જો સ્થિતિ આમને આમ જ રહી તો બાળકોનું ભવિષ્ય ધૂંધળું બનવા સાથે અંધકારમય થઈ જશે, આથી વહેલી તકે ધોરણ 1 થી 5 નું શિક્ષણકાર્ય શાળાઓમાં રાબેતા મુજબ શરૂ કરવા માંગ કરી છે.
વાલીઓ અને શાલા સંચાલકોની માગ
બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી ધોરણ 1 થી 5ની શાળા હજુ કોઈ પણ નિર્ણય લેવાયો નથી, આગામી સમયમાં પરિસ્થિતિ આધીન આગળનો નિર્ણય સરકર દ્વારા લેવાઈ શકે છે, કોરોના કાળમાં બાળકો છેલ્લા 2 વર્ષથી ઓફલાઇન અભ્યાસથી વંચિત રહ્યા છે અને ઘરે બેઠા ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે ધોરણ 1 થી 5માં ઓનલાઇન શિક્ષણ ક્યારે શરૂ થયા તેની રાહ જોવાઈ રહી છે જો કે સરકાર પણ નથી ઈચ્છતી કોરોનામાં બાળકો સંક્રમિત થાય.