પોરબંદરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રસી આપ્યા બાદ બાળકીના મોતની ઘટના સામે આવી છે. બાળકીના મોત બાદ પરિવારે નર્સ પર આક્ષેપ કર્યો છે. રસી આપ્યા બાદ બાળકીનું મોત થયુ હોવાનું પરિવારે આક્ષેપ કર્યો છે.
રસીનું ઈન્જેક્શન આપ્યા બાદ 2 મહિનાની બાળકીનું મોત થયુ છે. પરિવારે રસી આપનાર મહિલા નર્સ પર આક્ષેપ કર્યો છે. આ મામલે પરિવારે નર્સ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી છે. હાલમાં બાળીકને પોસ્ટમોર્ટમ માટે ખસેડાઈ છે. બાળકીના મોત બાદ હોસ્પિટલ પર પણ અનેક સવાલ થઈ રહ્યા છે.