ઉત્તરાખંડના સીએમ તરીકે 2-3 નામનો પર ચર્ચા શરુ થઈ છે. જાણો કોણ છે આ બે નેતા.
કોઈ રાજપૂત અથવા સિંહ જાતિના નેતા જ મુખ્યમંત્રી બની શકે
સતપાલ સિંહ અને ધનસિંહ રાવતને દિલ્હી બોલાવવામાં આવ્યા
નવા મુખ્યમંત્રીને લઈને 2 નામોની ચર્ચા તેજ થઈ
ઉત્તરાખંડના સીએમ તરીકે 2-3 નામનો પર ચર્ચા
ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે સીએમ પદ પરથી રાજીનામું ધરી દીધું છે. આ બાદ ઉત્તરાખંડના સીએમ તરીકે 2-3 નામનો પર ચર્ચા શરુ થઈ છે.
સુત્રોનું કહેવું છે કે સીએમ તીરથ સિંહ રાવત ભાજપના અધ્યક્ષને પત્ર લખી રાજીનામુ આપવાની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું કે આર્ટિકલ 164-એ ના હિસાબે તેમને સીએમ બન્યા બાદ 6 મહિનાની અંદર વિધાનસભાના સભ્ય બનવાનું હતુ. પરંતુ આર્ટિકલ 151 કહે છે કે જો વિધાનસભા ચૂંટણીમાં એક વર્ષથી ઓછો સમય બચે છે તો ત્યાં ઉપચૂંટણી ન કરાવી શકાય. તેમણે ઉત્તરાખંડમાં સંવિધાનિક સંકટ ન ઉભુ થાય તે માટે તે મુખ્યમંત્રી પદમાંથી રાજીનામુ આપવા માંગે છે.
ભાજપ માટે 2 માપદંડ જરુરી
તીરથ સિંહ રાવતના ગયા બાદ પાર્ટીના આલાકમાનને રાજ્યના નવા નેતાના નામનું પણ એલાન કરવાનું રહેશે. જો કે કહેવામાં આવી રહ્યું છે. અહીં કોઈ રાજપૂત અથવા સિંહ જાતિના નેતા જ મુખ્યમંત્રી બનાવી શકાય છે. સાથે પાર્ટી એ વાત પર ધ્યાન આપશે કે નવા નેતા વિધાનસભાના સભ્ય હોય અને સંવૈધાનિક સંકટની સ્થિતિ સામે ન આવે.
આ બે નેતામાંથી બની શકે છે સીએમ
હાલમાં નવા મુખ્યમંત્રીને લઈને 2 નામોની ચર્ચા તેજ થઈ છે તે નામ છે સતપાલ સિંહ અને ધનસિંહ રાવત, સતપાલ સિંહ રાજ્યના મોટા નેતાઓમાંના એક છે જ્યારે ધનસિંહનું નામ ગત વખતથી જ ચર્ચામાં આવ્યું છે. પરંતુ તીરથ સિંહના આગળ આવવાથી તે પાછળ રહી ગયા. ઉત્તરાખંડમાં પણ આગલા વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે. મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. તે ઉપરાંત ભાજપના બે વરિષ્ઠ નેતા સતપાલ મહારાજ અને ધન સિંહ રાવતને પણ દિલ્હી બોલાવવામાં આવ્યા છે.