મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે 5 વાગે દિલ્લી જવા રવાના થશે. PM મોદીના નિવાસસ્થાને ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જશે દિલ્હી
PM મોદીના નિવાસસ્થાને ડિનરનું આયોજન
અમિત શાહ સાથે મુલાકાતની શક્યતા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે 5 વાગે દિલ્હી જવા રવાના થશે. PM મોદીના નિવાસસ્થાને ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે. તેમજ તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જશે દિલ્લી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના મુખ્યમંત્રી તરીકે બીજીવાર પદ સંભાળ્યા બાદ આજે તેઓ દિલ્હી જશે. સાંજે 5 વાગે CM ભૂપેન્દ્ર પટેલ દિલ્લી જવા રવાના થશે અને તેઓ PM મોદીના નિવાસસ્થાને ડિનરમાં ઉપસ્થિત રહેશે. CMની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સાથે પણ મુલાકાત થઈ શકે છે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે.
NDAના સાંસદો રહેશે ઉપસ્થિત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીતની ઉજવણી કરવા માટે દિલ્હીમાં NDAના તમામ સાંસદો માટે ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડિનરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે NDAના તમામ સાંસદોને ડિનર માટે આમંત્રણ આપ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા અને રાજ્યસભાના NDAના તમામ સાંસદોને ઉપસ્થિત રહેશે.
ગુજરાતમાં ભાજપે 156 બેઠકો જીતી
1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો જીતી છે. કોંગ્રેસના ખાતામાં 17 અને આમ આદમી પાર્ટીના ખાતામાં પાંચ બેઠકો ગઈ છે. આ સાથે બાકીની 4 બેઠકો અન્યના ફાળે ગઈ છે.