કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદમ્બરે જણાવ્યું કે કેન્દ્ર સરકાર લોકોને મુર્ખ સમજી બેઠી છે અને હવે લોકોએ બળવો કરી મૂકવો જોઈએ.
કોંગ્રેસના દિગ્ગજ નેતા પી.ચિદમ્બરમનું નિવેદન
કેન્દ્ર સરકાર લોકોને મુર્ખ સમજી બેઠી છે
લોકોએ બળવો કરી મૂકવો જોઈએ.
હર્ષવર્ધન-યોગી આદિત્યનાથના નિવેદનથી ગુસ્સો આવે છે-કોંગ્રેસ નેતા
પી.ચિદમ્બરમે ટ્વિટ કરીને જણાવ્યું કે હું કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધનના એ નિવેદનથી આક્રોશિત છું કે ઓક્સિજન, વેક્સિન અને રેમડેસિવિરની કોઈ અછત નથી. મને યુપીના સીએમ યોગી આદિત્યનાથના એ નિવેદનથી પણ ગુસ્સો ચડ્યો છે કે યુપીમાં વેક્સિનની કોઈ અછત નથી.
I am appalled by the statement of the Union Health Minister that there is no shortage of oxygen or vaccines or Remedesivir.
I am also appalled by the statement of the U.P. Chief Minister that there is no shortage of vaccines in U.P.
પી..ચિદમ્બરમે લખ્યું કે શું ટીવી ચેનલો, પર ચાલી રહેલા દ્રશ્યો, સમાચાર, તથા અખબારોના સમાચારો ખોટા છે ? શું દર્દીઓના પરિવારવાળાઓ ખોટું બોલી રહ્યાં છે ? શું બધા વીડિયો અને ફોટો નકલી છે. લોકોએ એ સરકારની સામે બળવો કરવો જોઈએ કે એવુ માનીને ચાલી રહી છે કે ભારતના બધા લોકો મુર્ખ છે.
સત્તાના અહંકારમાં એટલા ચૂર છે કે લોકોની વેદના ભૂલી ગયા-કોંગ્રેસ પ્રવક્તા
કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે પણ ડોક્ટર હર્ષવર્ધન પર હુમલો કરતા જણાવ્યું કે હોસ્પિટલોમાં ઉપચાર નથી મળી રહ્યો. ઓક્સિજનની ઘોર તંગી છે. લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે. સ્મશાન અને કબ્રસ્તાનમાં જગ્યા બચી નથી. આ સ્થિતિ હોવા છતાં આરોગ્યમંત્રી કહે છએ કે આ વર્ષે ગયા વર્ષ કરતા સ્થિતિ સારી છે. તેઓ સત્તાના અહંકારમાં એટલા ચૂર છે કે લોકોની વેદના ભૂલી ગયા છે.