23 જુલાઇ 2018થી ચાતુર્માસનો મહિનો શરૂ થવાનો થે ચાતુર્માસ એટલે ભગવાનના ચાર મહિના માટે આરામ કરવાના છે. દેવશયની એકાદશીની દિવસથી ચાતુર્માસનો આંરભ થાય છે. માન્યતા અનુસાર આ ચાર મહિના સુધી ભગવાન વિષ્ણુ પાતાળલોકમાં રાજા બલીના ત્યાં નિવાસ કરે છે. ત્યારબાદ કાર્તિક શુક્લ એકાદશીએ પરત આવે છે. હિંદુ ધર્મમાં આ 4 મહિનાનું ખૂબ મહત્વ હોય છે.
ભગવાનનો આરામ કરવાથી ખરાબ આત્માઓ સક્રીય થઇ જાય છે. શાસ્ત્રો અનુસાર આ 4 મહિવામાં પૂજા પાઠ વધારે કરવાનું કહેવામાં આવ્યું છે. ચાતુર્માસનો મહિનો સ્વાસ્થ્ય માટે પણ ખૂબ મહત્વપૂર્ણ હોય છે.
આ દિવસોમાં તેલ દહીં સાથે ચોખા ગોળ મૂળો રીંગણનું સેવન કરવું જોઇએ નહીં. ચાતુર્માસમાં ભગવાન ક્ષીર સાગરમાં આરામ કરે છે અને માતા લક્ષ્મી એમની સતત સેવા કરે છે. એવામાં માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે ભગવાન વિષ્ણુના મંત્રોના જાપ કરવા જોઇએ.
પૌરાણિક માન્યતાઓ અનુસાર દેવશયની એકાદશીથી ભગવાન વિષ્ણુ 4 મહિના માટે વિશ્રામ કરવા માટે ક્ષીર સાગર જતા રહે છે. આ 4 મહિના દરમિયાન શુભ કાર્ય જેમ કે લગ્ન ઉપનયન સંસ્કાર ગૃહ પ્રવેશ જેવા માંગલિક કાર્ય અટકી જાય છે. 4 મહિનાની ઊંઘ પૂર્ણ કર્યા બાદ દેવઊઠની એકાદશી પર ભગવાન વિષ્ણુ પોતાની ઊંઘનો ત્યાગ કરી દે છે અને ફરીથી સૃષ્ટિનું સંચાલન પોતાના હાથમાં લઇ લે છે.