બેંકોથી જોડાયેલા ઘણા બદલાવ આજથી શરૂ થઇ રહ્યા છે. કેટલા બદલાવ ગ્રાહકોને રાહત આપશે તો કેટલાકથી ખિસ્સામાંથી વધારે રૂપિયા જશે.
એક તરફ RTGS અને NEFT ચાર્જ ના વસૂલવાથી ઑનલાઇન ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન મળશે તો બીજી તરફ SBIમાંથી હોમ લોન લેનારા ગ્રાહકોને રેપો રેટમાં ઘટડાનો લાભ મળશે. આ સિવાય બેસિઝ એકાઉન્ડ હોલ્ડર્સને પહેલા કરતા વધારે સુવિધા મળશે. આ સિવાય કારની કિંમતમાં પણ વધારો થઇ જશે. તો ઘરેલૂ રસોઇ ગેસની કિંમતમાં ઘટાડો થઇ શકે છે કેમકે LPGની કિંમત આજથી ઘટી છે. તો બીજી તરફ Paytm ટ્રાન્જેક્શન મોંઘું થઇ જશે અને બચત યોજનાના વ્યાજ દરોમાં પણ ઘટાડો થઇ શકે છે. તો જાણીએ શું બદલાવ થઇ રહ્યા છે.
NEFT અને RTGS પર ચાર્જ નહી લાગે:
RBI દ્વારા ઑનલાઇન ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન આપવા માટે NEFT અને RTGS દ્વારા લેવડ દેવડ કરવા પર કોઇ ચાર્જ નહી લાગે. દેશની સૌથી મોટી બેંક SBI NEFTની મદદથી થનાર લેવડેદેવડ માટે 1 થી 5 રૂપિયાની વચ્ચે અને RTGSની મદદથી થનારા ટ્રાન્જેક્શન માટે 5 થી 50 રૂપિયા વસૂલતી હતી. આજથી ગ્રાહકોને આ કોઇ ચાર્જ નહી આપવો પડે. જોકે અલગ-અલગ બેંક RTGS અને NEFT પર અલગ-અલગ ચાર્જ લે છે.
SBIની હોમ લોન રેપો રેટથી જોડાશે:
SBI 1 જૂલાઇથી પોતાના હોમ લોનના વ્યાજ દરને રેપો રેટ સાથે જોડી દેશે. સ્પષ્ટ છે કે દરેક વખતે રેપો રેટમાં બદવાવ થશે તો SBIની હોમ લોનના વ્યાજ દરોમાં પણ તે પ્રમાણે ફેરફાર છે.
બેસિક એકાઉન્ટ્સ હોલ્ડર્સને મળશે સુવિધા:
બેંકોમાં બેસિક એકાઉન્ટ હોલ્ડર્સ રાખનારા ગ્રાહકોને ચેક બુક અને અન્ય સુવિધાઓ મળશે. બેંકની આ સુવિધાઓ માટે ખાતાધારકોને ન્યૂયમત રાશિ રાખવાની પણ જરૂર નહી પડે.
ઘરેલૂ ગેસમાં 100 રૂપિયા સુધીનો ઘટાડો:
સબસિડી વગરના રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ 100.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર ઘટી ગયા છે. 1 જૂલાઇથી એટલે કે આજથી દિલ્હીમાં રાંધણ ગેસ સિલિન્ડર 637 રૂપિયામાં ઉપલબ્ધ થશે. જેની માહિતી તેલ કંપનીઓએ આપી છે. સબસિડી વગરના રાંધણ ગેસ સિલિન્ડરના બજારમાં ભાવમાં ઘટાડો આવવાની સાથે સબસિડીવાળા રાંધણ ગેસ સિલિન્ડર માટે પણ રિફિલ લેતા સમયે 100.50 રૂપિયા ઓછા આપવાના રહેશે. સબસિડીવાળા સિલિન્ડરના ગ્રાહકોને એક જૂલાઇથી રિફિલ પ્રાપ્ત થવા પર 737.50 રૂપિયાના બદલે 637 રૂપિયા ચૂકવવાના રહેશે.ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને રવિવારે જાહેર થયેલી રિલીઝમાં આ જાણકારી આપવામાં આવી છે.
બચત યોજનાના વ્યાજ દરમાં ઘટાડો:
સરકારે PPF, રાષ્ટ્રીય બચત પત્ર, કિસાન વિકાસ પત્ર અને સુકન્યા સમૃદ્ધિ યોજના સહિત લગભગ બધી લઘુ બચત યોજનાઓ પર વ્યાજદરમાં 0.10%નો ઘટાડો કરવામાં આવ્યો છે. નવા વ્યાજદર એક જુલાઈથી લાગૂ થઇ જશે.
મોંધુ થશે Paytm ટ્રાન્જેક્શન:
1 જૂલાઇથી એટલે કે આજથી Paytm યૂઝ કરવો મોંઘુ થઇ જશે. એક સૂત્રોનુસાર, ક્રેડિટ કાર્ડ્સની મદદથી પેમેન્ટ્સ પર 1%, ડેબિટ કાર્ડ્સની મદદથી 0.9% અને નેટ બેંકિંગ અને યૂનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસની મદદથી ટ્રાન્જેક્શન પર 12 થી 15 રૂપિયા ચાર્જ લાગે.
કાર ખરીદવી પડશે મોંઘી:
ઑટોમોબાઇલ કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ પોતાના પેસેન્જર વ્હીકલ્સની કિંમત 36000 રૂપિયા સુધીનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ આ નિર્ણય પછી મહિન્દ્રા સ્કોર્પિયો, બોલેરો, XUV 500 જેવી કંપનીઓ મોંઘી થઇ જશે. આ રીતે મારૂતિ સુઝૂકી ઇન્ડિયાએ પોતાની લોકપ્રિય કોમ્પેક્ટ સેડાન કાર ડિઝાયરની કિંમતમાં 12690 રૂપિયા સુધીની વુદ્ઘિ કરી છે.