ચંદ્રયાન-2ને વહેલી તકે લોંચ કરવાની ISRO તૈયારી કરી રહ્યું છે. વહેલું લોંચ થાય તો તેને ચંદ્રની કક્ષામાં વધુ સમય મળી શકે તે માટે આગામી 21 કે 22 જુલાઈના રોજ ચંદ્રયાન-2નું લોંચિંગ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. 21 કે 22 જુલાઈના ચંદ્રયાન-2ને લોંચ કરવા ISRO પ્રયાસ કરી રહ્યું છે.
આપને જણાવી દઇએ કે, 15 જૂલાઈએ ટેક્નિકલ કારણોસર ચંદ્રયાન-2નું લોંચિંગ ટળ્યું હતું. ત્યારે ટેક્નિકલ ફોલ્ટ દૂર કરીને વહેલી તકે લોંચિંગ કરવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. કારણ કે, જો 31 જુલાઈ સુધી ચંદ્રયાન લોંચ ન થાય તો વધુ ઇંધણની જરૂર પડે તેવિ પરિસ્થિતિ છે. હાલ ચંદ્રની ફરતે એક વર્ષ ચક્કર લગાવવાનો લક્ષ્યાંક છે ત્યારે વહેલી તકે લોન્ચ ન થાય તો ચક્કર લગાવવાનો સમય પણ ઘટી શકે છે.
ચંદ્રયાન-2 ની ખાસિયત શું છે
ચંદ્રયાન-2 મિશન હેઠળ ચંદ્રની સપાટી પર એક રોવરને ઉતારવામાં આવશે, જે અત્યાધુનિક ઉપકરણોથી સજ્જ હશે. રોવર ચંદ્રની માટીનું વિશ્લેષણક કરશે અને તેમાં મિનરલ્સ સાથે હિલિયમ-2 ગેસની સંભવાના પણ તપાસશે, જે ભવિષ્યમાં ઊર્જાનો સંભવિત સ્ત્રોત હોઈ શકે છે.
ચંદ્રયાન-2 પર કુલ 14 પેલોડ હશે, જેમાં 13 ભારતના અને એક નાસાનો પેલોડ હશે. ઓર્બિટર પર 8, લેન્ડર પર 4 અને રોવર પર 2 પેલોડ હશે.અમેરિકી સ્પેસ એજન્સી નાસાનું એકમાત્ર પેલોડ લેન્ડર પર હશે.