પંજાબના પૂર્વ CM કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે ગઠબંધનની જાહેરાત કરી છે. કેપ્ટને પંજાબ BJP ગજેન્દ્ર સિંહ શેખાવત સાથે મુલાકાત કર્યા બાદ ટ્વિટ કરીને આ જાણકારી આપી
કેપ્ટન અમરિંદર સિંહે સત્તાવાર રીતે ભાજપ સાથે ચૂંટણી ગઠબંધનની જાહેરાત કરી
કેપ્ટનની પંજાબ લોક કોંગ્રેસ પાર્ટીની આ પ્રથમ ચૂંટણી છે.
BJP પહેલી વખત આખા પંજાબમાં ચૂંટણી લડવાનો પ્રયાસ કરી રહી છે.
Met union minister & @BJP4India incharge for Punjab, Shri @gssjodhpur in New Delhi today to chalk out future course of action ahead of the Punjab Vidhan Sabha elections. We have formally announced a seat adjustment with the BJP for the 2022 Punjab Vidhan Sabha elections. pic.twitter.com/cgqAcpW2MW
કેપ્ટન અમરિંદર સિંહે સત્તાવાર રીતે ભાજપ સાથે ચૂંટણી ગઠબંધનની જાહેરાત કરી
પંજાબ લોક કોંગ્રેસ પાર્ટીના વડા અને પૂર્વ CM કેપ્ટન અમરિંદર સિંહે સત્તાવાર રીતે ભાજપ સાથે ચૂંટણી ગઠબંધનની જાહેરાત કરી છે. કેપ્ટને કહ્યું કે આજે પંજાબ બીજેપી પ્રભારી ગજેન્દ્ર સિંહ શેખાવત સાથે સીટોની વહેંચણીને લઈને ચર્ચા થઈ હતી અને સીટો નક્કી કરવામાં આવી હતી. ગજેન્દ્ર સિંહ સાથે મુલાકાત બાદ કેપ્ટન અમરિંદર સિહે જણાવ્યું હતું કે, પંજાબમાં અમે જ જીતીશું.આમ તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહનો પંજાબ માટે કરેલો સૌથી મોટો દાવ સફળ થયો છે. મહત્વનું છે કે, ભારતીય જનતા પાર્ટી અને પંજાબ લોક કોંગ્રેસ પાર્ટીના ગઠબંધનને અંતિમ સ્વરૂપ આપવા માટે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ ગત રોજ દિલ્હી પહોંચ્યા હતા.
આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે પંજાબ વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન અને સીટ વહેંચણીને લઈને ચર્ચા થઈ હતી. કેપ્ટને ટ્વીટ કરીને લખ્યું કે તેમણે બીજેપી પ્રભારી સાથેની બેઠકમાં સીટ શેરિંગ પર ચર્ચા કરી હતી. શેખાવતને મળ્યા બાદ તેઓ BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે. હાલમાં, એવું માનવામાં આવે છે કે ભાજપ પંજાબમાં 70 બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે, જ્યારે કેપ્ટનની પાર્ટી માટે 35 બેઠકો છોડવામાં આવશે.
કેપ્ટનની પંજાબ લોક કોંગ્રેસ પાર્ટીની આ પ્રથમ ચૂંટણી છે.
તેથી, હજુ નીચલા સ્તરે પક્ષનું માળખું રચાયું નથી અને બાકીની 12 બેઠકો સુખદેવ સિંહ ઢીંડસાની પાર્ટી માટે છોડવામાં આવશે.જોકે, જ્યાં સુધી કેપ્ટન ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક નહીં કરે ત્યાં સુધી ચિત્ર સ્પષ્ટ થશે નહીં. તે જ સમયે, કેપ્ટનના નજીકના સૂત્રોનું કહેવું છે કે હવે ચૂંટણી પંચની ટીમે મુલાકાત લીધી છે. જે દર્શાવે છે કે જાન્યુઆરીના પહેલા કે બીજા સપ્તાહમાં આચારસંહિતા લાગુ કરવામાં આવશે. તેથી, હવે ગઠબંધનમાં વધુ વિલંબ કરવાનું કોઈ કારણ નથી, કારણ કે ગઠબંધન અને બેઠકો વિશે ચિત્ર સ્પષ્ટ થયા પછી, બંને પક્ષો પોતપોતાના વિધાનસભા મતવિસ્તારોમાં આગ્રહ કરી શકે છે.
आज हुई इस वार्ता के बाद मैं कह सकता हूं कि ये तय है कि हम साथ मिलकर चुनाव लड़ेंगे। सीट बंटवारे पर सही समय पर सूचित किया जाएगा: केंद्रीय मंत्री और पंजाब भाजपा प्रभारी गजेंद्र सिंह शेखावत https://t.co/BlSrN0XzBKpic.twitter.com/kedQOhCOjG
BJP પણ પહેલી વખત આખા પંજાબમાં ચૂંટણી લડવાનો પ્રયાસ કરી રહી છે.
બીજી તરફ બીજેપી ભલે પંજાબમાં સ્થાપિત પાર્ટી હોય, પરંતુ આ પહેલીવાર છે જ્યારે તે આખા પંજાબમાં ચૂંટણી લડવાનો પ્રયાસ કરી રહી છે. અકાલી દળ સાથે ગઠબંધનમાં રહીને ભાજપે ક્યારેય 23થી વધુ બેઠકો પર ચૂંટણી લડી નથી. આખા પંજાબમાં તેનું સંગઠનાત્મક માળખું હોવાની દાવો કરે છે, પરંતુ માલવામાં એવા ઘણા વિધાનસભા મતવિસ્તારો છે જ્યાં ભાજપનું માળખું છે, પરંતુ આધાર નથી. તે જ સમયે, ખેડૂત આંદોલન સમાપ્ત થઈ ગયું હોવા છતાં, હાલ ખેડૂતોનું આંદોલન ભલે સમાપ્ત થઈ ગયું હોય, પરંતુ ખેડૂતોના મનમાં હજુ પણ તંગદિલી પ્રવર્તી રહી છે. આવી સ્થિતિમાં ભાજપનું વધુ ધ્યાન માત્ર શહેરી વિસ્તારો પર છે. જ્યાં ખેડૂત ચળવળની અસર નાની હતી અથવા તો અસ્તિત્વમાં ન હતી. સાથે જ, કેપ્ટન ભલે કોંગ્રેસ છોડી ગયા હોય, પરંતુ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ તેમની તાકાત છે.