નવી દિલ્હીઃ છેલ્લા કેટલાય સમયથી ગુજરાત સહિત દેશમાં અનામત માટે લડત ચાલી રહી છે. ત્યારે સરકારે મહત્વનો નિર્ણય લેતા આર્થિક રીતે પછાત સવર્ણ જ્ઞાતીઓને 10 ટકા અનામતની જાહેરાત કરી છે. આ મહત્વનો નિર્ણય કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયો છે. આ લાભ સવર્ણો કે જેઓ આર્થિક રીતે પછાત છે તેમને મળશે. આ નિર્ણયથી કરોડો ગરીબ લોકોને ફાયદો થવાની શક્યતા રહેલી છે. આ અંગે મંગળવારે મોદી સરકાર સંવિધાન સંશોધન બિલ સંસદમાં રજૂ કરી શકે છે. પરંતુ આ નિર્ણયને લઇને કેટલાક પડકાર પણ છે.
અનામતની જાહેરાત બાદ આર્થિક અનામત આપવા કેટલાક પડકાર?
1. સવર્ણ અનામત માટે બંધારણમાં સંશોધન કરવું પડશે. જે દેખીતી રીતે આ રાહ આસાન નથી.
2. કેન્દ્ર સરકાર પાસે સવર્ણ સમાજનો કોઇ ડેટા જ નથી. ડેટા વગર ક્યાં આધારે અનામત મળી છે તે સળગતો પ્રશ્ન.
3. અત્યાર સુધી સવર્ણ સમાજના આર્થિક પછાત તબકાનોકોઇ સર્વે થયો નથી. સર્વે વગર બંધારણમાં સંશોધન કેમ ? આ સૌથી ઉદભવશે.
4. સર્વણ સમાજનો કોઇ ડાટા નથી તો આર્થિક પછાત તબકોના ડાટા ક્યાંથી આવશે તે સૌથી મોટો પ્રશ્નો છે.
5. આજાદી કાળથી સવર્ણ સમાજ રાજકારણ નોકરી અને સામાજિક રીતે ખુબ આગળ ત્યારે અનામત કે આ સવાલ થશે. બંધારણમાં સંશોધનમાં આડચણરણ આ બાબત બનશે.
6. સવર્ણ સમાજ આગળ હોવાથી ઓબીસી એસટી એસસી અનામત જન્મી છે. માટે આર્થિક અનામત કેમ ? આ પ્રશ્ન ઉદભવશે.
7. બંધારણની કલમ 15માં સમાનતાનો ઉલ્લેખ. સમાનતામાં અનામત આવી શકે કે નહીં તે મુદ્દો ભવિષ્યમાં પ્રશ્નો ખડા કરી શકે.
8. બંધારણમાં આર્ટીકલ 16માં નોકરી અને શિક્ષણનો ઉલ્લેખ. આ મુ્દ્દો સરકાર સામે અનમાત માટે સરળ બની શકે.
9. લોકસભાની ચૂંટણી પહેલા લોકસભાનો છેલ્લો દિવસ છે. એક દિવસમાં બંધારણ સંશોધનનો મોટો મુદ્દોમાં સર્વસંમતિ કેવી રીતે સાધી શકાશે?
10. અનામત લડતનો આવશે અંત? અને આ સવર્ણ અનામતથી કોને-કોને મળશે લાભ?