ક્તિના ઉપાસનાનું મહાપર્વ એટલે નવરાત્રિ. નવરાત્રિમાં સાધનાથી જો માતાજી પ્રસન્ન થાય તો તે ભક્તો પર આખુ વર્ષ પોતાની કૃપા વરસાવે છે. ચૈત્રી નવરાત્રિમાં માતાજીને પ્રસન્ન કરવા માટે શાસ્ત્રોમાં અનેક ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. ભક્તિભાવથી આ ઉપાય કરવામાં આવે તો સારુ ફળ મળે છે. જાણો માતા જગદંબાને કેવી રીતે પ્રસન્ન કરી શકાય.
ભક્તો નવ દિવસ સુધી અલગ-અલગ કલરના કપડા પહેરીને માતાને પ્રસન્ન કરી શકે છે. જાણો કયા દિવસે માતાજીને કયો કલર પસંદ હોય છે. આ વખતે નવમીમાં રવિ પુષ્ય યોગ પણ બની રહ્યો છે. આ દરમિયાન માતાજીની પૂજા કરવાથી ધાર્યા કામમાં સફળતા મળે છે. ભક્તો આ નવ દિવસ દરમિયાન માતાના પ્રસન્ન કરવા માટે રંગ પ્રમાણે વસ્ત્રો પહેરે સાથે જ તેવા જ રંગનો પ્રસાદ ચડાવે તો માતાની કૃપા તેમના પર હંમેશા માટે રહે છે.
નવરાત્રિનો પહેલો દિવસ શૈલપુત્રીનો હોય છે, આ દિવસે પીળા રંગના કપડા પહેરો. બીજો દિવસ મા બ્રહ્મચારિણીનો હોય છે, આ દિવસે લીલા કલરના કપડા પહેરો. ત્રીજો દિવસ મા ચંદ્રઘંટાનો હોય છે, આ દિવસે ભૂરા કલરના કપડાં પહેરો. ચોથો દિવસે મા કુષ્માંડાને પ્રસન્ન કરવા માટે કેસરી રંગના કપડા પહેરો.
પાંચમો દિવસ સ્કંદ માતાનો હોય છે, આ દિવસે તમારે સફેદ કલરના કપડા પહેરવા જોઇએ. છઠ્ઠો દિવસ મા કત્યાયનીનો હોય છે, આ દિવસે માતાની પૂજા કરતી વખતે લાલ કલરના કપડા પહેરો. નવરાત્રિના સાતમા દિવસે કાલરાત્રિ માની પૂજા કરવામાં આવે છે, આ દિવસે વાદળીના કલરના કપડા પહેરવા. આઠમા દિવસે મહાગૌરીને પ્રસન્ન કરવા માટે ગુલાબી કલરના કપડા પહેરવા જોઇએ. નવરાત્રિના નવમા દિવસે સિદ્ઘિરાત્રિની પૂજા કરવાનુ મહત્વ છે, આ દિવસે પર્પલ કલરના કપડા પહેરી માતાની પૂજા કરવી જોઇએ.