જે લોકો નિયમિતપણે ચા પીતા હોય છે તેના મગજના દરેક ભાગ ચા ન પીનારા લોકો કરતા વધારે વ્યવસ્થિત હોય છે. એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે. મગજના દરેક ભાગનું વ્યવસ્થિત રહેવું સ્વસ્થ સંજ્ઞાનાત્મક ક્રિયા સાથે જોડાયેલ છે. આ પરિણામો સુધી પહોંચવા માટે, અભ્યાસમાં 36 વૃદ્ધ લોકોના ન્યુરોઇમેજિંગ ડેટાની શોધ કરવામાં આવી હતી.
ચા પીનાર લોકોના મગજ વધુ સંગઠિત હોય છે
અભ્યાસમાં થયો ખુલાસો
નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપુર (એનયુએસ) ના સહાયક પ્રોફેસર અને ટીમ લીડર ફેંગ લેઇએ જણાવ્યું હતું કે, અમારા પરિણામો પ્રથમ વખત મગજના બંધારણ પર ચા પીવાથી સકારાત્મક યોગદાનની પ્રથમ વખત પૃષ્ટી થઇ અને તે દર્શાવે છે કે, નિયમિત રીતે ચા પીવાથી મગજના તંત્રમાં ઉંમરના કારણે આવનારી પડતીથી બચાવી શકે છે.
સંશોધનકારોએ જણાવ્યું હતું કે અગાઉના અધ્યયનોએ બતાવ્યું છે કે ચા પીવાનું માનવ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને તેના હકારાત્મક પ્રભાવોમાં મૂડમાં સુધારો અને હૃદય અને રોગ સંબંધી બિમારીથી રોકવા શામેલ છે.
આ અભ્યાસ 2015 થી 2018 ની વચ્ચે 60 વર્ષ અને તેથી વધુ વયના 36 વૃદ્ધ લોકો પર કરવામાં આવ્યો હતો જેમાં તેમના આરોગ્ય, જીવનશૈલી અને માનસિક આરોગ્ય વિશેના ડેટા એકત્રિત કરવામાં આવ્યા હતા.