મુંબઇ: ફિલ્મોની પાયરેસી રોકવા માટે મોદી સરકારે સિનેમેટોગ્રાફી એક્ટ 1952માં ફેરફારને મંજૂરી આપી દીધી છે. આ ફેરફાર બાદ જો કોઇ પણ વ્યક્તિ સિનેમાઘરોમાં ફિલ્મોને રેકોર્ડ કરતાં પકડાઇ જશે તો એની પર 10 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારાઇ શકે છે. આ ઉપરાંત આરોપીને ત્રણ વર્ષ સુધીની જેલ પણ થઇ શકે છે.
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે બુધવારે કેબિનેટનના આ નિર્ણયની જાણકારી આપી. ફિલ્મની પાયરેસીને રોકવા માટે સરકારે સિનેમેટોગ્રાફી એક્ટ 1952ને મંજૂરી આપી દીધી છે. છેલ્લા ઘણા વર્ષોથી ઘણી પાઇરેટેડ વેબસાઇટ ઘણી ફિલ્મોને ગેરકાયદે રીતે ઇન્ટરનેટ પર નાંખવામાં આવી રહી છે. ત્યારબાદ ફિલ્મના કલેક્શન પર ખૂબ અસર પડે છે.
હવે સિનેમેટોગ્રાફી એક્ટ 1952ના 6AA એક નવી ધારા જોડવામાં આવશે. ત્યારબાદ કોઇ પણ ફિલ્મને પ્રોડ્યૂસર કે કંપનીની અનુમતિ વગર રેકોર્ડ કરવો દંડ ગણાશે. આવું કરવા પર સંબંધિત આરોપીને 3 વર્ષની જેલ અથવા 10 લાખ રૂપિયા સુધીને દંડ અથના બંને થઇ શકે છે.
સરકારનું આ સ્ટેપ પીએમ નરેન્દ્ર મોદીના એ વાયદાને પૂરું કરે છે જે એમને 19 જાન્યુઆરી 2019એ સિનેમા મ્યૂઝિયમના ઉદ્ધાટન દરમિયાન કર્યો હતો.
જણાવી દઇએ છેલ્લા કેટલાક સમયથી તમામ ફિલ્મો રિલીઝના દિવસે જ ઓનલાઇન લીક કરી દેવામાં આવી હતી. ત્યારબાદ મોદી સરકારે બોલીવુડને મોટી ભેટ આપી છે. જે બજેટ દરમિયાન નાણા મંત્રી પીયૂષ ગોયલે સંસદમાં પેશ કરી હતી.