ઓલા, ઉબર જેવી કેબ કંપનીઓને ભારત સરકરની નવી મોટર વાહન ગાઈડલાઈન્સથી મોટો ઝટકો લાગ્યો છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયએ શુક્રવારે મોટર વ્હીકલ એગ્રીગેટર દિશા નિર્દેશ 2020 જારી કર્યો છે. મંત્રાલયે રાજ્ય સરકારો દ્વારા એને લાગૂ કરવાનું કહ્યું છે.
દરેક ડ્રાઈવ પર ડ્રાઈવરને 80 ટકા ભાડુ મળશે
કંપનીઓના ખાતામાં ફક્ત 20 ટકા જશે
પ્રવાસી અને ડ્રાઈવરની સુરક્ષાને સંકટ રહ્યું તો લાઈસેન્સ રદ્દ કરવામાં આવશે
નવા દિશા નિર્દેશ મુજબ ટેક્સી સંચાલન કરનારી કંપનીઓએ રાજ્ય સરકારો પાસેથી લાઈસન્સ લેવાનું રહેશે. સિસ્ટેમેટિક ફેલ્યોરથી પ્રવાસી અને ડ્રાઈવરની સુરક્ષાને સંકટ રહ્યું તો લાઈસેન્સ રદ્દ કરવામાં આવશે.
દરેક ડ્રાઈવ પર ડ્રાઈવરને 80 ટકા ભાડુ મળશે
રાજ્ય સરકારો ભાડુ નક્કી કરશે. દિશા નિર્દેશમાં એગ્રીગેટરને પરિભાષામાં શામિલ કરવામાં આવ્યું છે. આ માટે મોટર વ્હીકલ એક્સ 1988માં ફેરવવામાં આવ્યું છે. દરેક ડ્રાઈવ પર ડ્રાઈવરને 80 ટકા ભાડુ મળશે, કંપનીઓના ખાતામાં ફક્ત 20 ટકા જશે. એગ્રીમેન્ટમાં બેસ ફેયરથી 50 ટકા ઓછું લેવાની પરવાનગી રહેશે. પ્રવાસ રદ્દ કરવા પર મહત્તમ ભાડા પર 10 ટકા રહેશે પણ પ્રવાસી અને ડ્રાઈવર બન્નેને માટે 100 રુપિયાથી વધારે નહીં હોય
તેલની ખપત અને પ્રદૂષણ ઘટશે
એગ્રીગેટર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી સેવાને સર્વિસ માનવામાં આવશે . જેનાથી નોકરી ઉભી થાય છે અને લોકોને પરિવહનની સુવિધા મળે છે. શેરિંગ સુવિધાથી ખપત ઘટશે. સાથે ઈન્પોર્ટ બિલ ઓછું થશે. આ ઉપરાંત વાહનોથી થનારા પ્રદૂષણના સ્તરમાં ઘટોડો થશે. જેનાથી લોકોનું સ્વાસ્થ્ય સારુ રહેશે.
એગ્રીગેટરની જવાબદેહી પણ નક્કી રહેશે
કારોબારી સંચાલન માટે રાજ્ય સરકારો દ્વારા રજૂ કરવામાં આવેલું લાઈસેન્સ ફરજિયાત છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનું પાલન થાય તેની જવાબદારી રાજ્ય સરકારોની રહેશે. ગાઈડલાઈન્સનો હેતું એગ્રીમેન્ટ માટે રાજ્ય સરકારો દ્વારા એક રેગ્યુલેટરી વ્યવસ્થા બનાવવાની છે. જેનાથી જવાબદેહી નક્કી થાય.