જો તમે તહેવારની સીઝનમાં કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકાર દરેક પ્રકારના વાહનો પર જીએસટી રેટમાં 10 ટકાનો ઘટાડો કરવાનું વિચારી રહી છે. જો આવું થાય તો આવનારા દિવસોમાં નવી કારના ભાવ ઘટશે. આ કારણે ડિમાન્ડ પણ વધારી શકાય છે.
તહેવારની સીઝનમાં આવ્યા સારા સમાચાર
કાર ખરીદવાનું સપનું થઈ શકે છે પૂરું
મોદી સરકાર આપશે સસ્તી કાર ખરીદવાનો મોકો
પ્રકાશ જાવડેકરે આપ્યા છે આ સંકેત
ઓટો ઉદ્યોગના સંગઠનની બેઠકમાં મોદી સરકારના મંત્રી પ્રકાશ જાવડેકરે સંકેત આપ્યા છે કે સરકાર ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં લાબા સમયથી કરવામાં આવેલી માંગને લઈને ગંભીર છે અને આવનારા થોડા દિવસોમાં તે અંગેનો નિર્ણય પણ લેવાશે. તેઓએ વધુમાં કહ્યું છે કે નાણામંત્રાલય આ પ્રસ્તાવની રૂપરેખા તૈયાર કરી રહ્યું છે. દ્વિચક્રી, ત્રણ પૈડાના અને પબ્લિક ટ્રાન્સપોર્ટ અને ચાર પૈડાના વાહનોને ચરણબદ્ધ રીતે રાહત મળી શકે છે.
28 ટકા જીએસટી લાગે છે
આ સાથે પ્રકાશ જાવડેકરે ભરોસો આપ્યો છે કે જીએસટીમાં અસ્થાયી રીતે ઘટાડાની માંગને લઈને પીએમ અને નાણામંત્રી સાથે વાત કરાશે. તમને જણાવી દઈએ કે ગાડીઓ પર 28 ટકા જીએસટી લાગે છે. વાહન ઉદ્યોગ લાંબા સમયથી ઘટાડીને 18 ટકા કરવાની માંગ કરી રહ્યું છે.
નિર્મલા સીતારમણે આપ્યા આ સંકેત
જીએસટી કાઉન્સિલની બેઠક પહેલાં નાણામંત્રી નિર્મલા સીતારમણે દ્વિચક્કી વાહનનો પર જીએસટી ઘટાડવાના સંકેત આપ્યા હતા પણ આ વખતની બેઠકમાં કોઈ નિર્ણય લેવાયો નથી. એવામાં આશા રાખવામાં આવી રહી છે કે આવનારી કાઉન્સિલમાં આ વાહનો સહિત ઈન્ડસ્ટ્રીના અનેક વાહનો પર પણ જીએસટીમાં ઘટાડો કરવાની ચર્ચા થાય.
મારુતિ સુઝુકીએ પણ કરી છે આ માંગ
મારુતિ સુઝુકીના નિર્દેશક અને સીઈઓએ સરકારની મદદ માંગી છે. તેઓએ કહ્યું છે કે ભારતીય ઓટો ઉદ્યોગ ઈતિહાસમાં સૌથી મુશ્કેલ સમય છે અને સાથે જીએસટીમાં ઘટાડા સિવાય પ્રોત્સાહન આધારિત સ્ક્રેપેજ નીતિના રૂપમાં સરકારી મદદની જરૂર છે.