કેન્દ્ર સરકારે ખાદ્ય સુરક્ષા કાયદા અંતર્ગત લોકોને પુરતી માત્રામાં રાશન ઉપલબ્ધ કરાવવા માટે કેટલાક પગલા ભર્યા છે.
ખાદ્ય સુરક્ષા કાયદામાં સુધારો કર્યો છે
ખાદ્ય સુરક્ષા અધિનિયમ અંતર્ગત દેશમાં લગભગ 80 કરોડ લોકોને મળે છે લાભ
આ સંશોધન એનએફએસએ અંતર્ગત કરવામાં આવ્યું છે
ખાદ્ય સુરક્ષા કાયદામાં સુધારો કર્યો છે
હકિકતમાં કેન્દ્રએ રાશનની દુકાનો પર ઈલેક્ટ્રોનિક પોઈન્ટ ઓફ સેલ (EPOS) ઉપકરણોને ઈલેરક્ટ્રોનિક ત્રાજવાની સાથે જોડાવાને પ્રોત્સાહન આપવા માટે ખાદ્ય સુરક્ષા કાયદાના નિયમોમાં સંશોધન કર્યુ છે. સરકારે લાભાર્થીઓ માટે અનાજ તોલતા સમયે રાશનની દુકાનની પારદર્શિતાને વધારવા અને લાભાર્થીઓના નુકશાનને રોકવા માટે આ પગલા ભર્યા છે.
ખાદ્ય સુરક્ષા અધિનિયમ અંતર્ગત દેશમાં લગભગ 80 કરોડ લોકોને મળે છે લાભ
કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ અંતર્ગત દેશમાં લગભગ 80 કરોડ લોકોને પ્રતિ વ્યક્તિ મહિના 2 રુપિયા પ્રતિ કિલોના દર પર 5 કિલો ઘંઉ અને 3 રુપિયાના દરે ચોખા ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. એક અધિકારીના નિવેદન મુજબ ખાદ્ય તથા સાર્વજનિક વિતરણ વિભાગે એનએઉએસએ 2013 અંતર્ગત લાભાર્થીોને તેમની પાત્રતા અનુસાર સબસિડિ વાળા અનાજના વિતરણની યોગ્ય માત્રા સુનિશ્ચિત કરવા માટે 18 જૂન 2021ને જારી અધિસૂચના જારી કરી છે. સરકારે કહ્યું છે કે ઈપીઓએસ ઉપકરણોને યોગ્ય રીતે સંચાલિત કરાનારા રાજ્યોને પ્રોત્સાહિત કરવા અને 17 રુપિયા પ્રતિ ક્વિંટન ઉપરાંત નફાથી બચવાને પ્રોત્સાહન આપતા ખાદ્ય સુરક્ષા 2015ના ઉપ નિયમ (2) ના નિયમ 7માં સંશોધન કર્યું છે.
કેન્દ્ર સરકારે કેમ કર્યો નિયમોમાં ફેરફાર
સરકારે નિયમ 7ને 18 જૂન 2021એ સંશોધન કર્યું છે. જેથી કોઈ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો તરફથી ખર્ચ માટે આપવામાં આવેલા વધારાના નફાથી પણ બચત મેળવી શકે. સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પોઈન્ટ ઓફ સેલ ડિવાઈસની ખરીદી , સંચાલન અને તેના મેન્ટેનન્સના ખર્ચ માટે આપવામાં આવેલા એડિશનલ માર્જિનથી કોઈ પણ રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ તરફથી કોઈ પણ બચત થઈ શકે છે જેને ઈલેક્ટ્રોનિકલ ત્રાજવાની ખરીદી, સંચાલન તથા મેન્ટેનન્સની સાથે બન્નેના એકીકરણ માટે ઉપયોગમાં લેવામાં આવી શકે છે. સરકારે કહ્યુ કે આ સંશોધન એનએફએસએ અંતર્ગત લક્ષિત સાર્વજનિક વિતરણ પ્રણાલીના સંચાલનની પાર્દર્શિતામાં સુધારાના માધ્યમથી અધિનિયમ ધારા 2 અંતર્ગત પરિકલ્પિત સુધાર પ્રક્રિયાને વધારવાના પ્રયાસ તરીકે કરવામાં આવ્યો છે.