તામિલનાડુમાં કુન્નૂર નજીક થયેલી હેલિકૉપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા CDS જનરલ બિપિન રાવત સહિત અન્ય 12 લોકોના આજે અંતિમ સંસ્કાર.
દેશના સપૂતોને અંતિમ સલામ
બ્રિગેડિયર એલ.એસ.લીડ્ડરના અંતિમ સંસ્કાર
રક્ષામંત્રી રાજનાથસિંહ, અજિત ડોભાલે આપી શ્રદ્ધાંજલિ
ગુરૂવારે તામિલનાડુના કુન્નૂરમાં થયેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ 13 મૃતકોના પાર્થિવ દેહને વિમાન દ્વારા દિલ્હીના પાલમ એરપોર્ટ લવાયા. જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી રાજનાથસિંહ અને NSA અજિત ડોભાલે પહોંચીને શ્રદ્ધાંજલી આપી હતી. ત્યારે આજે તમામ શહીદોના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
LIVE UPDATES:
બ્રિગેડિયર લિડ્ડરના દિલ્હી કેન્ટમાં અંતિમ સંસ્કાર
બ્રિગેડિયર એલએસ લિડ્ડરના પાર્થિવ દેહને બેસ હોસ્પિટલથી દિલ્હી કેન્ટના બ્રાર સ્ક્વાયરમાં લવાયો હતો. જ્યાં તેમને અંતિમ વિદાઈ આપવામાં આવી છે.
Delhi: The mortal remains of Brig LS Lidder brought to Brar Square, Delhi Cantt.
Delhi: The three service chiefs - Army Chief Gen MM Naravane, Navy Chief Admiral R Hari Kumar & IAF chief Air Chief Marshal VR Chaudhari pay tribute to Brig LS Lidder at Brar Square, Delhi Cantt.#TamilNaduChopperCrashpic.twitter.com/WxwJ4Oj0Yf
CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્નીના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનાર CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્નીના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.આ પહેલા શુક્રવારે સવારે 11 થી 12:30 વાગ્યા સુધી તેમના પાર્થિવ દેહને સામાન્ય લોકોના અંતિમ દર્શન માટે તેમના 3 કામરાજ માર્ગ સ્થિત નિવાસસ્થાને રાખવામાં આવશે. બપોરે 12:30 થી 1:30 વચ્ચેનો સમય લશ્કરી જવાનો માટે બિપિન રાવત અને તેમની પત્નીને શ્રદ્ધાંજલિ આપવાનો રહેશે.જનરલ રાવતની અંતિમ યાત્રા બપોરે લગભગ 2 વાગ્યે તેમના નિવાસસ્થાનથી બેરાર સ્ક્વેર સ્મશાનગૃહ સુધી શરૂ થશે. અંતિમ સંસ્કાર સાંજે 4 કલાકે રાખવામાં આવેલ છે.
બ્રિગેડિયર લિડરના અંતિમ સંસ્કાર સવારે 9:30 વાગ્યે કરવામાં આવશે
બ્રિગેડિયર લિડરના અંતિમ સંસ્કાર સવારે 9:30 વાગ્યે કરવામાં આવશે. શ્રદ્ધાંજલિ કાર્યક્રમ બાદ મૃતદેહને ધૌલકુઆનની આર્મી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જનરલ રાવત, તેમની પત્ની અને બ્રિગેડિયર લિડર ઉપરાંત, Mi-17 V5 હેલિકોપ્ટર દુર્ઘટનામાં 10 સશસ્ત્ર દળોના જવાનો માર્યા ગયા હતા.રક્ષા મંત્રી રાજનાથ સિંહ હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા બ્રિગેડિયર લખવિંદર સિંહ લિડરના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે. દિલ્હી કેન્ટના બેરાર સ્ક્વેર ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
આ લોકો પણ મૃતકોમાં સામેલ છે
દુર્ઘટનામાં માર્યા ગયેલા અન્ય જવાનોમાં લેફ્ટનન્ટ કર્નલ હરજિંદર સિંહ, વિંગ કમાન્ડર પીએસ ચૌહાણ, સ્ક્વોડ્રન લીડર કે સિંહ, જેડબલ્યુઓ દાસ, જેડબલ્યુઓ પ્રદીપ એ, હવાલદાર સતપાલ, નાઈક ગુરસેવક સિંહ, નાઈક જિતેન્દ્ર કુમાર, લાન્સ નાઈક વિવેક કુમાર અને લાન્સ નાઈક સાઈ તેજાનો સમાવેશ થાય છે. સમાવેશ થાય છે.
પીએમ મોદી અને રક્ષા મંત્રીએ શ્રદ્ધાંજલિ આપી
ગુરુવારે પાલમ એરપોર્ટ પર સશસ્ત્ર દળોના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપનારાઓમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ સામેલ હતા. ભારતીય સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે, ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમાર, એર ચીફ માર્શલ એવીઆર ચૌધરી અને સંરક્ષણ સચિવ અજય કુમાર સહિત દેશના ટોચના સૈન્ય અધિકારીઓએ પણ શોક સમારંભમાં અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી.
પાલમ એરપોર્ટ પર હૃદયદ્રાવક દ્રશ્ય સર્જાયા
ઉલ્લેખનીય છે કે, ગુરુવારે પાલમ એરપોર્ટ પર હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા. એરપોર્ટના એક હેંગરમાં 13 શબપેટીઓ રાખવામાં આવી હતી અને આ દરમિયાન પરિવારના સભ્યો પણ હાજર હતા. ભારતીય વાયુસેનાના C-130J એરક્રાફ્ટ દ્વારા સુલુર એરબેઝથી મૃતદેહોને દિલ્હી લાવવામાં આવ્યા હતા. વિમાન લગભગ 7.35 વાગ્યે પાલમ ટેકનિકલ એરપોર્ટ પર લેન્ડ થયું હતું. આ પહેલા તમિલનાડુના કુન્નુર પાસે હેલિકોપ્ટર દુર્ઘટના બાદ સમગ્ર દેશ શોકમાં ડૂબી ગયો હતો.