યમુના એક્સપ્રેસવે (Yamuna Expressway) કૌભાંડ મામલાની તપાસ સીબીઆઇએ પોતાના હાથમાં લઇ લીધી છે. તપાસ એજન્સીએ પોતાની એફઆરઆઇમાં ઓથોરિટીના પૂર્વ સીઇઓ પીસી ગુપ્તા અને 20 અન્ય લોકોના નામ નોંધ્યા છે.
યમુના એક્સપ્રેસવે કૌભાંડ મામલાની તપાસ CBIએ પોતાના હાથમાં લીધી
CBIએ પૂર્વ સીઇઓ પીસી ગુપ્તા વિરુદ્ધ એફઆઇઆર નોંધી
રાજ્ય સરકારને 126 કરોડ રૂપિયાનું નુકશાન થયું
સીબીઆઇના અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી. ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ સરકારની ભલામણ પર એજન્સીએ 126 કરોડ રૂપિયાના જમીન ખરીદી ગોટાળાની તપાસ સંભાળી છે.
અધિકારીઓએ જણાવ્યું કે રાજ્ય સરકારનો આરોપ છે કે યમુના એક્સપ્રેસવે ઔદ્યોગિક વિકાસ ઓથોરિટીએ યમુના એક્સપ્રેસવે માટે મથુરાના સાત ગામોમાં 85 કરોડ રૂપિયામાં જમીન ખરીદી હતી, જેમા રાજ્ય સરકારને 126 કરોડ રૂપિયાનું નુકશાન થયું.
નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશ સરકારે નોઇડા, ગ્રેટર નોઇડા ઓથોરિટી, યમુના એક્સપ્રેસવે ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઓથોરિટીની સાથે યુપી રાજ્ય ઔદ્યોગિક વિકાસ નિગમ (UPSIDC)ની નાણાકીય તપાસ (ઓડિટ) નિયંત્રક અને એકાઉન્ટ્સના ઇન્સ્પેક્ટર જનરલ (CAG)થી કરાવવાનો નિર્ણય 2017માં લીધો હતો. ઔદ્યોગિક વિકાસ વિભાગે આ સંબંધમાં સીએજીના એકાઉન્ટેન્ટ જનરલને પત્ર મોકલ્યું હતું.